લખનૌ-ચંદીગઢ રીજનમાં હજારો બોટલો જપ્ત: લખનૌ રીજનમાં 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન ચલાવાયેલા અભિયાનમાં 117 ટ્રેનોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન બિનઅધિકૃત બ્રાન્ડના પેકેજ્ડ પાણીની 5,241 બોટલો જપ્ત કરાઈ હતી. જ્યારે ચંદીગઢ રીજનમાં અંબાલા, લુધિયાણા, અમૃતસર, કટરા અને જમ્મુ સહિતના સ્ટેશનો પર 51 ટ્રેનોનું ચેકિંગ હાથ ધરાયું હતું, જ્યાંથી 3,108 બોટલો પકડાઈ હતી. આ ઉપરાંત અંબાલા અને સહારનપુર સ્ટેશનેથી મંજૂરી વગરની આઈસ્ક્રીમ, ફ્લેવર્ડ મિલ્ક અને અન્ય શંકાસ્પદ પીણાંના 13 કાર્ટન જપ્ત કરવામાં આવ્યા હતા.
