Janmashtami 2026 Stay Darshan : કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. સવારથી જ મોટી સંખ્યામાં લોકો ભગવાન કૃષ્ણના મંદિરમાં દર્શન માટે પહોંચી રહ્યા છે. દરેક કૃષ્ણ મંદિરોમાં રાત્રે 12 કલાકે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમી પ્રસંગે દ્વારકામાં આવેલું જગત મંદિર, ડાકોરમાં રણછોડરાય મંદિર અને વૃંદાવન મંદિરથી લાઇવ દર્શન કરાવી રહ્યા છીએ.
દ્વારકા જગત મંદિરથી લાઈવ દર્શન
દ્વારકામાં જગત મંદિરમાં સવારથી જ ભક્તોના ઘોડા પૂર ઉમટી પડ્યા છે. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી…હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલકી..જય રણછોડ માખણ ચોર, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે.. જેવા નાદથી કૃષ્ણ મંદિરો ગુંજી રહ્યા છે.
ડાકોર રણછોડરાય મંદિરથી લાઈવ દર્શન
જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણ મંદિરોમાં લાઇટ અને ફુલોની સુંદર સજાવટ કરવામાં આવી છે. જન્માષ્ટમી નિમિત્તે શ્રીકૃષ્ણ મંદિરમાં દર્શન માટે ભક્તોની લાઇનો લાગી હતી. ભક્તો કૃષ્ણમય બની ગયા છે.
વૃંદાવન મંદિરથી લાઈવ દર્શન
ઇસ્કોર મંદિર અને શામળાજી મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.
