At present Newest information replace 30 June 2026 tuesday: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશકિયન સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ પેઝેશકિયન પ્રધાનમંત્રીને પશ્ચિમ એશિયામાં તાજેતરની ઘટનાઓ અને આગળની રાહ વિશે માહિતી આપી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર વાતચીતની જાણકારી આપી હતી પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ના એક નિવેદન અનુસાર પ્રધાનમંત્રીએ ક્ષેત્રમાં કાયમી શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા તેમજ નેવિગેશન અને વેપારની આઝાદીની સુરક્ષા માટે સતત પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ભારતના વલણને પુનરાવર્તિત કર્યું કે તમામ મુદ્દાઓને સંવાદ અને ફૂટનીતિ દ્વારા ઉકેલવા જોઈએ.
-
Jun 30, 2026 23:03 IST
At present Information Stay: પીએમ મોદીએ ઇરાનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર કરી વાતચીત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશકિયન સાથે ફોન પર વાતચીત કરી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ પેઝેશકિયન પ્રધાનમંત્રીને પશ્ચિમ એશિયામાં તાજેતરની ઘટનાઓ અને આગળની રાહ વિશે માહિતી આપી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર વાતચીતની જાણકારી આપી હતી પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) ના એક નિવેદન અનુસાર પ્રધાનમંત્રીએ ક્ષેત્રમાં કાયમી શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા તેમજ નેવિગેશન અને વેપારની આઝાદીની સુરક્ષા માટે સતત પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ભારતના વલણને પુનરાવર્તિત કર્યું કે તમામ મુદ્દાઓને સંવાદ અને ફૂટનીતિ દ્વારા ઉકેલવા જોઈએ.
-
Jun 30, 2026 14:12 IST
At present Information Stay: સાંસદો છૂટા પડ્યા બાદ ઉદ્ધવ ઠાકરેને વધુ એક ઝટકો
મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટો ઘટનાક્રમ સામે આવ્યો છે. શિવસેના UBT વિધાન પરિષદના સભ્ય સચિન આહિર પાર્ટી છોડીને શિવસેનામાં જોડાયા છે. શિવસેનામાં જોડાયા પછી તરત જ, સચિન આહિરે શિવસેનાના ઉમેદવાર તરીકે મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી.
સચિન આહિરને આદિત્ય ઠાકરેના નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે. તેઓ 2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા શિવસેનામાં જોડાયા હતા. અગાઉ, સચિન આહિર NCP સાથે હતા. જોકે, 2022માં જ્યારે એકનાથ શિંદેએ બળવો કર્યો ત્યારે સચિન આહિર ઉદ્ધવ ઠાકરે સાથે રહ્યા. જોકે, હવે સચિન આહિર એકનાથ શિંદે જૂથમાં જોડાયા છે.
-
Jun 30, 2026 11:46 IST
At present Information Stay: રામ મંદિરના પ્રસાદ વિવાદ પર માયાવતીની પ્રતિક્રિયા
અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં પ્રસાદ વિવાદ અંગે, બસપાના વડા માયાવતીએ કહ્યું છે કે સંડોવાયેલા લોકોને છોડવા જોઈએ નહીં. તેમણે કહ્યું કે ચોરી, ઉચાપત અને પ્રસાદના દુરુપયોગના અહેવાલો અત્યંત ગંભીર અને ચિંતાજનક છે. બસપા સુપ્રીમોએ એમ પણ કહ્યું કે આ મામલાનું રાજકારણ કરવું યોગ્ય નથી.
-
Jun 30, 2026 09:29 IST
At present Information Stay: પશ્ચિમ બંગાળ: રિફાઇનરીમાં ભીષણ આગ
મંગળવારે પશ્ચિમ બંગાળના હલ્દિયા રિફાઇનરીમાં નેપ્થા પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી. આગ એટલી તીવ્ર હતી કે નજીકના ઘણા કામદારો બળીને ખાખ થઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કેઆ ઘટના સવારે 4:00 થી 4:30 વાગ્યાની વચ્ચે બની હતી. આ ભીષણ આગમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા,
-
Jun 30, 2026 07:34 IST
At present Information Stay: સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થવા પર ગુસ્સે થયેલા પાકિસ્તાની મંત્રીએ આપી ધમકી
સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થવાથી ગુસ્સે થયેલા પાકિસ્તાને ફરી એકવાર ભારતને ધમકી આપી છે. પાકિસ્તાનના આબોહવા પરિવર્તન મંત્રી મુસાદિક મલિકે કહ્યું છે કે જો કોઈ અમારા પાણીને સ્પર્શ કરશે તો “અમે તેમના હાથ કાપી નાખીશું.” મુસાદિકની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે છ દાયકાથી વધુ જૂની સિંધુ જળ સંધિ (IWT) પર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે.
એપ્રિલ 2025 માં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે 1960 થી અમલમાં રહેલી સિંધુ જળ સંધિને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી હતી. ભારતે કહ્યું હતું કે લોહી અને પાણી એકસાથે વહી શકતા નથી. પહેલગામ હુમલામાં 26 નાગરિકો માર્યા ગયા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થયા બાદ પાકિસ્તાન ગુસ્સે છે.
