ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકાના 31મા મેયર તો રાજકોટના 23મા મેયર તરીકે ડૉ. નેહલ શુક્લ અને સુરેન્દ્રનગરના મેયર તરીકે રાકેશ રાઠોડની પસંદગી કરવામાં આવી છે. સાથે જ વિવિધ મનપાઓમાં ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક પદે પણ નવા ચહેરાઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે.
