શું ગરમીમાં અંજીર ખાવી સુરક્ષિત છે? ડોક્ટર પાસેથી જાણો

શું ગરમીમાં અંજીર ખાવી સુરક્ષિત છે? ડોક્ટર પાસેથી જાણો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Summer time Well being Suggestions : અંજીર એ એક લોકપ્રિય ડ્રાય ફળ છે જેને પોષક તત્વોનો ખજાનો માનવામાં આવે છે. તેમાં ફાઇબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન બી 6 અને ઘણા આવશ્યક પોષક તત્વો હોય છે. આ સિવાય તેમાં એન્ટીઓકિસડન્ટ પણ હોય છે, જે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવવામાં અને એકંદર સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. 

અંજીરનું સેવન ફળના રુપમાં અને ડ્રાય અંજીરના રુપમાં બંને તરીકે કરવામાં આવે છે. તેની તાસીર ગરમ હોય છે, જેથી ઘણીવાર લોકો વિચારે છે કે ઉનાળામાં તેનું સેવન કરવું જોઈએ કે નહીં. ઉનાળામાં શરીરની પોતાની ગરમી વધેલી હોય છે, તેથી શું ગરમીમાં અંજીરનું સેવન કરવું સુરક્ષિત છે?

એશિયન હોસ્પિટલના હેડ ડાયેટિશિયન કોમલ મલિકે એક વાતચીતમાં જણાવ્યું હતું કે તમે ઉનાળામાં પણ અંજીરનું સેવન કરી શકો છો, બસ તમારે ખાવાની રીત બદલવાની જરૂર છે. જો ગરમ ઋતુમાં અંજીરનું યોગ્ય સેવન કરવામાં આવે તો પાચનમાં સુધારો થાય છે, શરીર ઠંડુ થાય છે. કેટલાક લોકો અંજીરનું સીધું સેવન કરે છે જે ગરમીમાં એસિડિટી અને નાકમાંથી લોહી નીકળવાનું કારણ બને છે. નિષ્ણાતે કહ્યું કે ઉનાળામા ગરમી અને તેના સ્વભાવને ધ્યાનમાં રાખીને અંજીરનું સેવન કરો. ચાલો જાણીએ નિષ્ણાતો પાસેથી ગરમીમાં અંજીર કેવી રીતે ખાવી જોઈએ?

શું અંજીર ઉનાળામાં શરીરની ગરમીમાં વધારો કરે છે?

અંજીરને હંમેળા ગરમ તાસીર વાળું ડ્રાય ફુટ માનવામાં આવે છે, તેથી ઉનાળામાં લોકો તેને ખાવામાં અચકાતા હોય છે. પરંતુ સત્ય એ છે કે અંજીર પોતે ખૂબ જ પૌષ્ટિક છે અને દરેક ઋતુમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોઈ શકે છે, તેને યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં ખાવું જરૂરી છે. ઉનાળામાં જો તમે અંજીરને મર્યાદિત માત્રામાં અને પલાળીને ખાઓ છો, તો તે શરીરમાં વધારે ગરમી વધારતું નથી, પરંતુ તમને જરૂરી પોષણ આપે છે. 

તેમાં ફાઇબર, વિટામિન્સ અને ખનિજો હોય છે, જે પાચન અને ઓલરઓલ સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે. જો તમે અંજીરને ફળ તરીકે ખાઈ રહ્યા છો તો દિવસમાં 2-3 અંજીર પૂરતા છે. તમે તેને અન્ય ફળો સાથે તમારા દૈનિક આહારમાં સામેલ કરી શકો છો. નિષ્ણાતે કહ્યું કે ઉનાળામાં અંજીરને સંપૂર્ણપણે છોડી દેવાની જરૂર નથી, પરંતુ તેને ઓછી માત્રામાં પલાળીને અને સંતુલિત રીતે ખાઓ, જેથી તમને તેના ફાયદા મળે અને કોઈ નુકસાન ન થાય.

શું ઉનાળામાં અંજીર ખાવું હાનિકારક છે?

અંજીરની તાસીર ગરમ માનવામાં આવે છે, તેથી ઘણા લોકો ઉનાળામાં તેને ખાવાનું ટાળે છે. કેટલાક અહેવાલો અનુસાર, ઉનાળામાં મોટી માત્રામાં અંજીર ખાવાથી પેટમાં દુખાવો, ગેસ અને બ્લોટિંગ જેવી સમસ્યાઓ થઈ શકે છે. જોકે જો તેનું યોગ્ય રીતે અને યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે છે, તો તે નુકસાન પહોંચાડતું નથી.

ઉનાળામાં અંજીર ખાવાની સાચી રીત

ઉનાળામાં અંજીરને સીધા ખાવાને બદલે પલાળીને ખાવું વધુ ફાયદાકારક છે. આ માટે 4-5 અંજીરને એક કપ પાણીમાં આખી રાત પલાળી રાખો. સવારે ખાલી પેટ ખાઓ. પલાળવાથી તેની અસર ઠંડી થાય છે અને તે સરળતાથી પચી જાય છે.

દૂધ સાથે અંજીર ખાવાના ફાયદા

અંજીરને દૂધમાં પલાળીને ખાવાથી તેના પોષક તત્વો વધુ અસરકારક બને છે. દૂધમાં પલાળવાથી તેની અસર પણ સંતુલિત થાય છે. તે શરીરને શક્તિ આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને પોષક તત્વોની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે.

અંજીર સ્મૂધી પણ એક સારો વિકલ્પ છે

તમે અંજીરને પાણી અથવા દૂધમાં 2-3 કલાક પલાળી શકો છો અને તેમાંથી સ્મૂધી બનાવી શકો છો. આ પદ્ધતિ સ્વાદિષ્ટ તેમજ સ્વસ્થ છે અને શરીરને જરૂરી પોષક તત્વો આપે છે.

એક દિવસમાં કેટલી માત્રા યોગ્ય છે?

અંજીરને ઉનાળામાં મર્યાદિત માત્રામાં ખાવું જોઈએ. સામાન્ય રીતે દિવસમાં 2-3 અંજીર પૂરતા હોય છે. વધુ પડતું સેવન કરવાથી પાચનની સમસ્યા થઈ શકે છે.

અંજીર ખાવાનું કોણે ટાળવું જોઈએ

માઇગ્રેનની સમસ્યા, પેટમાં દુખાવો અથવા પાચનની સમસ્યાઓ, કિડની સ્ટોન અને લીવર સંબંધિત રોગો જેવી કેટલીક પરિસ્થિતિઓમાં અંજીરનું સેવન ન કરવું જોઈએ. જો તમને કોઈ ગંભીર બીમારી છે તો અંજીર ખાતા પહેલા ડોક્ટરની સલાહ લો.

ડિસ્ક્લેમર : આ માહિતી ફક્ત સામાન્ય જાગૃતિ અને આહાર ટિપ્સ માટે આપવામાં આવી છે. અંજીરનું સેવન દરેક વ્યક્તિને તેમના શરીર, પાચન ક્ષમતા અને આરોગ્યની સ્થિતિ અનુસાર અલગ રીતે અસર કરી શકે છે. જો તમને એલર્જી, પાચનની સમસ્યાઓ, કિડની સ્ટોન યકૃતની બીમારી અથવા અન્ય કોઈ ગંભીર રોગ છે, તો આહારમાં અંજીર ઉમેરતા પહેલા ડોક્ટર અથવા પોષણ નિષ્ણાતની સલાહ લો. નિષ્ણાતની સલાહ વિના કોઈપણ આહારમાં મોટા ફેરફારો ન કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *