Final Up to date:
આઈસીસી ટી20 વિશ્વ કપમાં જો પાકિસ્તાનની ટીમ ભાગ નહીં લે તો લગભગ 4 મિલિયન અમેરિકી ડોલરથી પણ વધારેનું નુકસાન વેઠવું પડશે, જો ભારતીય કરન્સીમાં વાત કરીએ તો તે લગભગ 366 કરોડ રૂપિયાથી પણ વધારે છે.
નવી દિલ્હી: બાંગ્લાદેશનું આઈસીસી ટી20 વિશ્વ કપ 2026માંથી બહાર થયા બાદ હવે પાકિસ્તાનના નાટકો શરૂ થઈ ગયા છે. જેવું તે સત્તાવાર સામે આવ્યું કે બાંગ્લાદેશ ટી20 વિશ્વ કપ નહીં રમે, તેની તરત બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ મોહસિન નકવીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં નકવીએ બાંગ્લાદેશના નિર્ણયની સાથે ઊભા રહેવાની વાત કરી અને એવું પણ કહ્યું કે તે પાકિસ્તાનના પ્રધાનમંત્રીની રાહ જોઈ રહ્યા છે. પીએમ જો કહેશે ટી20 વિશ્વ કપમાં નથી રમવાનું તો પછી એવું જ થશે.
તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમ ટી20 વિશ્વ કપમાં રમવા પર સંશય બનેલો છે. આવું એટલા માટે પણ છે કે પાકિસ્તાને હજુ સુધી પોતાના સ્ક્વાડની ઘોષણા નથી કરી. પણ પાકિસ્તાન જો આવી વાહિયાત હરકત કરશે તો પછી તેને ભારે કિંમત ચૂકવવી પડશે. પાકિસ્તાની ટીમને એટલું મોટું નુકસાન થશે કે તે વિશ્વ ક્રિકેટમાં કેટલાય વર્ષ પાછળ ધકેલાઈ જશે. આવા સમયે આવો જાણીએ જો પાકિસ્તાન ટી20 વિશ્વ કપમાંથી બહાર થયું તો પછી તેને કેટલું અને શું શું નુકસાન વેઠવું પડશે.
આઈસીસી ટી20 વિશ્વ કપમાં જો પાકિસ્તાનની ટીમ ભાગ નહીં લે તો લગભગ 4 મિલિયન અમેરિકી ડોલરથી પણ વધારેનું નુકસાન વેઠવું પડશે, જો ભારતીય કરન્સીમાં વાત કરીએ તો તે લગભગ 366 કરોડ રૂપિયાથી પણ વધારે છે. આપને જણાવી દઈએ કે, પીસીબી પોતાની વાર્ષિક ઇનકમનો એક મોટો ભાગ આઈસીસી પાસેથી મેળવે છે. આવા સમયે જો પીસીબી ટૂર્નામેન્ટમાંથી હટશે તો આઈસીસી પાસેથી મળતી રકમ પર બ્રેક લાગવાનું નક્કી છે. ખાલી એટલું જ નહીં પીસીબીના ટૂર્નામેન્ટમાંથી હટવાથી પાકિસ્તાન આઈસીસીના એગ્રીમેન્ટનું પણ ઉલ્લંઘન કરશે. તેના કારણે પાકિસ્તાનને સ્પોન્સરશિપથી મળતી રકમ પણ અટકી જશે, જે કરોડોમાં છે.
આર્થિક નુકસાન ઉપરાંત પાકિસ્તાન પર પ્રતિબંધ પણ લાગી શકે છે. કેમ કે ટૂર્નામેન્ટમાંથી બહાર થવા પર તે આઈસીસીના કોડ ઓફ કંડક્ટનું ઉલ્લંઘન માનવામાં આવશે. તેનાથી આઈસીસી પાસે અધિકાર છે કે તે પાકિસ્તાન પર ભારે દંડ પણ લગાવી શકે છે. આ ઉપરાંત પાકિસ્તાન પર ભવિષ્યના આઈસીસી ઇવેન્ટમાં ભાગ લેવા પર રોક લગાવી શકે છે. ટી20 વિશ્વ કપના બહિષ્કારથી એશિયન ક્રિકેટ પરિષદ અને આઈસીસીની અંદર પીસીબીની સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે. જેનાથી સંભવિત રીતે તેમની વાર્ષિક રેવન્યૂના ભાગ પર અસર પડી શકે છે.
આઈસીસી ઇવેન્ટમાં ભારત અને પાકિસ્તાનની મેચના કારણે ફેન્સમાં ગજબનો ઉત્સાહ રહે છે. આ બંને ટીમો વચ્ચે મેચની ટિકિટો મિનિટોમાં વેચાય જાય છે. આવા સમયે જો પાકિસ્તાન ટી20 વિશ્વ કપમાં નહીં રમે તો ટૂર્નામેન્ટનો રંગ ફીકો પડી જશે. ખાલી આટલું જ નહીં ભારત પાકિસ્તાનની મેચ નહીં થવા પર ક્રિકેટ બોર્ડને પણ ભારે નુકસાન થશે. આઈસીસી ઇવેન્ટથી થનારી કમાણીનો એક મોટો ભાગ ભારત-પાકિસ્તાનની મેચમાંથી આવે છે. તેની સાથે જ ભારત-પાકિસ્તાન બંને દેશોના બ્રોડકાસ્ટરને કરોડોનું નુકસાન થશે. જેનું પરિણામ પાકિસ્તાનને ભોગવવું પડશે.
પાકિસ્તાન ભલે બાંગ્લાદેશના સમર્થનમાં ઊભું હોય, પણ તેની પાસે હાલત એવી નથી કે તે ટૂર્નામેન્ટનો બહિષ્કાર કરે. ભારત સાથે ગ્રુપ એમાં સામેલ પાકિસ્તાનને પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમવાની છે, જે કો હોસ્ટ છે. પાકિસ્તાને ખુદ શ્રીલંકામાં રમવાનો નિર્ણય લીધો હતો. કેમ કે પાકિસ્તાને આઈસીસીને પહેલાથી વાત કહી દીધી હતી કે ભારતમાં નહીં જાય. આના કારણે તેની તમામ મેચ શ્રીલંકામાં રાખવામાં આવી છે. પણ બાંગ્લાદેશનો મામલો અલગ છે. બાંગ્લાદેશ એન્ટી ઇન્ડિયા મૂવમેન્ટના કારણે અધિકારીઓની જીદના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થયું છે.
Jan 24, 2026 10:33 PM IST

