સૂર્યકુમાર યાદવ પર નિવેદન આપીને ફસાઈ ખુશી મુખર્જી;100 કરોડનો માનહાનિનો કેસ નોંધાયો, હવે કરી રહી છે ડેમેજ કંટ્રોલ

સૂર્યકુમાર યાદવ પર નિવેદન આપીને ફસાઈ ખુશી મુખર્જી;100 કરોડનો માનહાનિનો કેસ નોંધાયો, હવે કરી રહી છે ડેમેજ કંટ્રોલ

બિઝનેસ BUSINESS
Spread the love


Final Up to date:

મુંબઈના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફૈઝાન અંસારીનો દાવો છે કે ખુશી મુખર્જીએ પબ્લિસિટી મેળવવા માટે ભારતના ટી20 કપ્તાન સૂર્યકુમાર યાદવની ઈમેજ ખરાબ કરવાની કોશિશ કરી.

News18
News18

નવી દિલ્હી: સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવ અને એક્ટ્રેસ ખુશી મુખર્જીનો વિવાદ વધતો જાય છે. સેલિબ્રિટી ઈમેજ અને પબ્લિસિટી સ્ટંટની લડાઈ કાયદાકીય રૂપ લઈ ચૂક્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, એક્ટ્રેસ ખુશી મુખર્જી પર ક્રિકેટર સૂર્યકુમાર યાદવની ઈમેજ ખરાબ કરવાના કારણે 100 કરોડનો માનહાનિનો દાવો ઠોકવામાં આવ્યો છે.

મુંબઈના સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ફૈઝાન અંસારીનો દાવો છે કે ખુશી મુખર્જીએ પબ્લિસિટી મેળવવા માટે ભારતના ટી20 કપ્તાન સૂર્યકુમાર યાદવની ઈમેજ ખરાબ કરવાની કોશિશ કરી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, તેમણે 100 કરોડ રૂપિયાનો દંડ, તત્કાળ FIR અને ઓછામાં ઓછા 7 વર્ષની જેલની સજાની ડિમાન્ડ કરી છે. ફૈઝાન હાલમાં ગાજીપુરમાં છે અને તેને ક્રિકેટરના સન્માનની લડાઈ ગણાવી રહ્યા છે.

શું કહ્યું હતું ખુશી મુખર્જીએ?

ખુશીએ એક ઇવેન્ટ દરમિયાન પૈપરાજી સાથે વાત કરતા દાવો કર્યો હતો કે તે કોઈ ક્રિકેટરને ડેટ કરવા નથી માગતી. સૂર્યકુમાર યાદવ તેને બહુ મેસેજ કરતો હતો. હવે તેમના વચ્ચે વાતચીત થતી નથી અને તે નથી ઈચ્છતી કે તેનું નામ કોઈની સાથે જોડાય. વિવાદ વધ્યા બાદ અભિનેત્રી બેકફૂટ પર આવી ગઈ છે. મામલો કાનૂની રૂપ લેતો જોઈ ખુશી મુખર્જીએ ડેમેજ કંટ્રોલ શરૂ કરી દીધું છે. તેનો દાવો છે કે, તેમની વાતોને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. તેણે એવું પણ કહ્યું કે તેનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હેક થઈ ગયું છે. તેણે સ્વીકાર્યું કે વાતચીત થઈ હતી, પણ ખાલી દોસ્તાના હતી અને એક મેચ હાર્યા બાદ સહાનુભૂતિ તરીકે થઈ હતી.

હવે આગળ શું થશે?

સૂર્યકુમાર યાદવે આ સમગ્ર મુદ્દા પર અત્યાર સુધીમાં કોઈ નિવેદન નથી આપ્યું. તે પોતાની રમત અને આગામી ટૂર્નામેન્ટ પર ધ્યાન આપી રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે 100 કરોડનો માનહાનિ કેસ સાબિત કરવો ફૈઝાન માટે પડકાર હશે, પણ તેણે ખુશી મુખર્જી માટે મોટી કાનૂની મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે. ગાજીપુર પોલીસ હવે તેને લેખિત ફરિયાદની તપાસ કરી રહી છે. જો ફરિયાદ થશે તો ખુશી મુખર્જીને પૂછપરછ માટે બોલાવી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *