Final Up to date:
પીએમ મોદીએ એક્સ પર આભાર વ્યક્ત કરતા લખ્યું છે કે રાજ્યના જોશીલા લોકોએ એનડીએના જનકલ્યાણ અને સારા શાસનના એજન્ડાને પોતાના આશીર્વાદ આપ્યા છે.
નવી દિલ્હી: મહારાષ્ટ્ર નગર નિગમની ચૂંટણી અને બીએમસીમાં ભારતીય જનતા પાર્ટીની અલાયન્સ મહાયુતિને પ્રચંડ બહુમત મળ્યો છે. 29 મહાનગરપાલિકાઓના પરિણામ આવવા લાગ્યા છે. મુંબઈ મહાનગરપાલિકા સહિત અન્ય જગ્યા પર મહાયુતિએ મોટી જીત મેળવી છે. બીએમસીમાં તો ઉદ્ધવ ઠાકરેનો 20 વર્ષનો કિલ્લો ધ્વસ્ત થયો છે. અહીંથી ભાજપ પોતાના મેયર બનાવવા જઈ રહી છે. તો વળી આ નગર નિગમ ચૂંટણીમાં 23થી વધારે નિગમોમાં મહાયુતિએ પ્રચંડ જીત મેળવી છે. ભાજપ અને સહયોગીઓની જીત પર પીએમ મોદીએ એક્સ પર મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કર્યો છે.
પીએમ મોદીએ એક્સ પર આભાર વ્યક્ત કરતા લખ્યું છે કે રાજ્યના જોશીલા લોકોએ એનડીએના જનકલ્યાણ અને સારા શાસનના એજન્ડાને પોતાના આશીર્વાદ આપ્યા છે. અલગ અલગ નગર નિગમ ચૂંટણીના પરિણામ જોતા એનડીએ અને મહારાષ્ટ્રના લોકોની વચ્ચેનો સંબંધ વધારે મજબૂત થયો છે. અમારા કામના અનુભવ અને વિકાસના વિઝનને લોકોના હૃદયને સ્પર્શી લીધું છે. હું મહારાષ્ટ્રના તમામ લોકોનો દિલથી આભાર વ્યક્ત કરું છું. આ જનાદેશ વિકાસને વધારે ગતિ આપશે અને રાજ્ય સાથે જોડાયેલી શાનદાર સંસ્કૃતિનો જશ્ન છે.
પીએમ મોદીએ આગળ લખ્યું કે મને દરેક એનડીએ કાર્યકર્તા પર ખૂબ ગર્વ છે. જેમણે સમગ્ર મહારાષ્ટ્રમાં લોકોની વચ્ચે જઈને થાક્યા વિના કામ કર્યું છે. તેમણે અમારા ગઠબંધનના ટ્રેક રેકોર્ડ વિશે વાત કરી, આવનારા સમય માટે અમારા વિઝનને હાઈલાઈટ કર્યું અને વિપક્ષના જૂઠાણાનો પણ સારી રીતે સામનો કર્યો. તેમને મારી શુભકામનાઓ.
મુંબઈમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના સાથે ચૂંટણી લડી હતી, જેણે બીએમસીમાં ઉદ્ધવ ઠાકરેના 20 વર્ષના શાસનને ખતમ કરી દીધું છે. વળી મહાયુતિમાં સામેલ અજિત પવાર ગઠબંધનથી અલગ થઈને ચૂંટણી લડ્યા હતા. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ શરદ પવાર સાથે મળીને ચૂંટણી લડી હતી. કોંગ્રેસે વંચિત બહુજન અઘાડી સાથે લડ્યા હતા.
Jan 16, 2026 10:19 PM IST

