પ્રયાગરાજ માઘ મેળામાં નવી મોનાલીસા દેખાઇ, સાદગી અને સુંદરતા એ દિલ જીત્યું, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

પ્રયાગરાજ માઘ મેળામાં નવી મોનાલીસા દેખાઇ, સાદગી અને સુંદરતા એ દિલ જીત્યું, સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Prayagra Magh Mela Viral Lady Basmati : મહાકુંભમાં માળા વેચીને પ્રખ્યાત થયેલી મોનાલિસા બાદ માઘ મેળામાં આવેલી અન્ય એક યુવતી ચર્ચામાં છે. યુવતીનું નામ બાસમતી છે, જે માળા અને ટૂથબ્રશ બંને વેચે છે. માઘ મેળામાં લોકો બાસમતી સાથે ઘણી સેલ્ફી લઈ રહ્યા છે. તેઓ તેની સાથે વીડિયો બનાવી રહ્યા છે. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર થઈ રહ્યા છે.

હકીકતમાં, સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો વાયરલ થયા બાદ મોનાલિસાએ સારી કમાણી કરી હતી અને તેને બોલિવૂડની એક ફિલ્મમાં કામ પણ મળ્યું હતું. ત્યારથી, યુવતીઓમાં મેળા માટે બહુ જ ક્રેઝ છે. બાસમતી મેળામાં ટૂથબ્રશ અને માળા વેચવા આવી છે. કેટલાક લોકો તેને બાસમતી કહે તો કેટલાક સપના કહીને બોલાવે છે. કેટલાક લોકો તેને ‘નવી મોનાલિસા’ પણ કહી રહ્યા છે.

ગળામાં મોટી મોટી માળા પહેરી રાખી

બાસમતીની કાજળ લાગેલી આંખો એકદમ મોનાલિસા જેવી જ છે. વીડિયો સામે આવ્યા બાદ માઘ મેળામાં હાજર બાસમતી મીડિયા કેમેરાથી ઘેરી લેવામાં આવી છે. બાસમતી કહે છે, “લોકો આખો દિવસ મારો ઇન્ટરવ્યુ લેતા રહે છે. જેના કારણે મારા કામને અસર થઈ રહી છે. મારી માળા વેચાતી નથી. બાસમતીએ પોતે ગળામાં મોટી મોટી માળા પહેરી છે. તેણે નાકમાં 3 નથ અને કાનમાં બુટ્ટી પહેરી છે. લોકો તેના ચહેરાના મેકઅપથી પ્રભાવિત થાય છે.

લોકો સોશિયલ મીડિયા પર બાસમતીના વીડિયો શેર કરી રહ્યા છે અને તેની તુલના મોનાલિસા સાથે કરી રહ્યા છે. બાસમતી કહે છે, “ચારે બાજુ કેમેરા, ભીડ અને પ્રશ્નોને કારણે મારી કમાણી અટકી ગઈ છે. લોકો મારી પાસે ટૂથબ્રશ અને માળા ખરીદવા નથી આવતા, પરંતુ વાત કરવા અને વીડિયો બનાવવા માટે આવે છે.

ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેટ સેંશન મોનાલિસા મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના મહેશ્વરની રહેવાસી છે. મોનાલિસા અને તેનો પરિવાર પ્રયાગરાજ મહાકુંભમાં માળા વેચવા ગયા હતા. જો કે, પોતાની આંખો અને સાદગીને કારણે તે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી. ત્યારબાદથી તેના વીડિયો બહુ જોવામાં આવે છે.

તે એટલી પ્રખ્યાત થઈ ગઈ કે તેના ફોટાવાળી ટી-શર્ટ વેચવા લાગી. બાદમાં તેણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે તે મીડિયા અને અન્ય ઘણા લોકોથી નારાજ છે. તેમની તબિયત પણ બગડી હતી. તેણે કહ્યું કે તેને ત્યાં સારું લાગ્યું, પરંતુ તે માળા વેચી શકી ન હતી.

લોકોએ તેને ઘેરી લેતા હતા, તેનાથી પરેશાન થઈને તેઓ મહા કુંભ મેળો છોડીને પોતાના ઘરે પાછા ફર્યા. આ પછી બોલિવૂડના ડાયરેક્ટર મનોજ મિશ્રાએ મોનાલિસાને એક ફિલ્મની ઓફર કરી હતી અને તે રાતોરાત ફેમસ થઈ ગઈ હતી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *