કોલેસ્ટ્રોલ ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ? વધારે આવે તો કંટ્રોલ કરવા શું કરવું?

કોલેસ્ટ્રોલ ટેસ્ટ ક્યારે કરાવવો જોઈએ? વધારે આવે તો કંટ્રોલ કરવા શું કરવું?

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Ldl cholesterol | હૃદય આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. આપણે ઘણીવાર હૃદયના સ્વાસ્થ્ય (coronary heart well being) ને હળવાશથી લઈએ છીએ. આજની બદલાતી લાઇફસ્ટાઇલ અને ડાયટને કારણે, બધી ઉંમરના ઘણા લોકોમાં હૃદય રોગ જોવા મળે છે. પરંતુ યોગ્ય સાવચેતી રાખીને આપણે હૃદયના સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકીએ છીએ.

ખરાબ કોલેસ્ટ્રોલ અથવા LDL નું ઊંચું સ્તર હૃદયની સમસ્યાઓનું મુખ્ય સૂચક છે. ચેન્નાઈના શ્રી રામચંદ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચના ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને લેક્ચરર સીવી ઐશ્વર્યા કહે છે કે, અન્ય ગંભીર બીમારીઓ વિનાના સામાન્ય લોકોએ 20 વર્ષની ઉંમર સુધીમાં પોતાનો પહેલો LDL ટેસ્ટ કરાવવો જોઈએ.

જો કોલેસ્ટ્રોલ ટેસ્ટ રિઝલ્ટ સામાન્ય હોય, તો તે દર 4 થી 6 વર્ષે પુનરાવર્તિત થઈ શકે છે. એક્સપર્ટે નોંધ્યું કે લક્ષણો દેખાય ત્યાં સુધી રાહ જોવાને બદલે સમયસર તપાસ કરવાથી મોટી સમસ્યાથી બચી શકાય છે.

LDL કેમ ખતરનાક છે? 

શરીરમાં કોષો બનાવવા માટે કોલેસ્ટ્રોલની જરૂર પડે છે. જે પ્રોટીન તેને લોહીમાં લઈ જાય છે તેને લિપોપ્રોટીન કહેવામાં આવે છે. તેમાંથી, લો-ડેન્સિટી લિપોપ્રોટીન (LDL) કોલેસ્ટ્રોલને લીવરમાંથી શરીરના વિવિધ ભાગોમાં લઈ જાય છે. જ્યારે લોહીમાં LDLનું સ્તર વધે છે, ત્યારે તે ધમનીઓની દિવાલો પર એકઠા થાય છે અને તકતીઓ બનાવે છે. આનાથી લોહીનો પ્રવાહ ઓછો થાય છે અને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે.

કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે શું કરવું?

એશિયન હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. પ્રતીક ચૌધરીએ કેટલીક રીતો સૂચવી છે. 

સવારે ચાલવું: અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ 30 મિનિટ ઝડપથી ચાલવાથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળી શકે છે. તે કોલેસ્ટ્રોલ ઓછું કરી શકે છે, સ્થૂળતાને નિયંત્રિત કરી શકે છે અને તમને સક્રિય રહેવામાં મદદ કરી શકે છે. 
ચરબીયુક્ત ખોરાક ટાળો: નાસ્તામાંથી લાલ માંસ અને વધુ ફેટવાળી ડેરી પ્રોડક્ટસ ટાળી શકાય છે.
રેસાયુક્ત ખોરાક: તમારા ડાયટમાં ઓટ્સ, કઠોળ, ચિયા બીજ અને ફળોનો સમાવેશ કરવાથી ફાયદો થાય છે.
ડ્રાયફ્રૂટ્સ ખાવાની આદત બનાવો: બદામ અને અખરોટમાં જોવા મળતા ઓમેગા-3 ફેટી એસિડ સારા કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરી શકે છે.
પુષ્કળ પાણી પીઓ: સવારે ઉઠતાની સાથે જ હુંફાળું પાણી પીવાથી તમારા શરીરનું ચયાપચય સુધરશે.

લાઇફસ્ટાઇલમાં આવા નાના ફેરફારો કરવા ઉપરાંત ડૉક્ટરના નિર્દેશન મુજબ નિયમિત અંતરાલે ચેકઅપ કરાવીને હૃદયનું સ્વાસ્થ્ય જાળવવું ખૂબ જ જરૂરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *