દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઇ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં યાત્રાળુઓ નંદનંદનના વધામણા કરવા માટે દ્વારકામાં આવી પહોંચ્યા છે. ત્યારે કોઈપણ યાત્રિકને દર્શનમાં અગવડતા ન પડે તે માટે સ્થાનિક વહીવટીતંત્ર પણ ખડેપગે છે. મહત્વનું છે કે આવતીકાલે જન્માષ્ટમી છે ત્યારે અત્યારથી મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. કૃષ્ણભક્તિમાં લીન બનેલા ભક્તોએ જગત મંદિરમાં રાસની રમઝટ બોલાવી હતી.
Source link
