આ સમયે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીને ઉપરણું, દ્વારકા મંદિરની પ્રતિકૃતિ, ફૂલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબત્તી તથા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. ત્યારે દ્વારકાધીશ મંદિર ખાતે મુખ્યમંત્રી સાથે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઈ બેરા, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, અગ્રણી મયુરભાઈ ગઢવી સહિત સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

