રાજકોટના એસપી વિજયસિંહ ગુર્જરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, આ કેસમાં અગાઉ મનીષ કમાણી, જય નાદપરા, ઋષિ રૈયાણી, પ્રવિણસિંહ પરમાર, મયુરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ જાડેજા સહિતના આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. તેમની પૂછપરછ દરમિયાન તેલંગણામાં રહેતા મોહમ્મદ આદિલુદ્દીનનું નામ ખુલ્યું હતું.

