અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હલકો વરસાદ નોંધાઈ શકે છે. 22થી 26 જાન્યુઆરી દરમિયાન હવામાન સતત બદલાતું રહેશે, જેમાં ખાસ કરીને 23 અને 24 જાન્યુઆરીએ તેની અસર વધુ જોવા મળશે. પશ્ચિમી વિક્ષેપના કારણે રવિ પાક પર વિપરીત અસર થવાની શક્યતા છે, જેથી ખેડૂતોને સાવચેતી રાખવાની જરૂર છે. જોકે, 25 જાન્યુઆરી બાદ પશ્ચિમી વિક્ષેપની અસર ઘટશે, ત્યારે ફરીથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. આ સાથે ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ફરી એક વખત આકરી ઠંડી પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 30 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે ફરી હવામાનમાં પલટો આવી શકે છે.

