સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ઘરમાં ગંદકી હોવાના કારણે વંદા (કોકરોચ) નો ઉપદ્રવ વધે છે. પરંતુ, જો તમે ઘરની સાફ-સફાઈ પર પૂરતું ધ્યાન આપી રહ્યા હોવ, ક્યાંય કચરો કે ગંદકી ન હોય, તેમ છતાં પણ જો ઘરમાં અચાનક વંદાઓની સંખ્યા ખૂબ વધી જાય તો તેને ક્યારેય સામાન્ય ગણીને નજરઅંદાજ ન કરવો જોઈએ. જ્યોતિષીય દૃષ્ટિકોણથી આ ઘટના ઘરમાં રહેલી ઊર્જાના પ્રવાહમાં અવરોધ પેદા થવાનો મોટો અને ઊંડો સંકેત આપે છે.
