કોણ કરી શકે છે ઘોષણા? આ યોજનામાં રેસિડન્ટ , નોન-રેસિડન્ટ અને રેસિડન્ટ બટ નોટ ઓર્ડિનરલી રેસિડન્ટ એમ તમામ શ્રેણીના કરદાતાઓ સામેલ થઈ શકે છે. શરત માત્ર એટલી છે કે જે વર્ષની અઘોષિત આવક સાથે આ બાબત જોડાયેલી હોય અથવા જે વર્ષે વિદેશી સંપત્તિ ખરીદવામાં આવી હોય, તે વર્ષે વ્યક્તિ ભારતનો નિવાસી હોવો જોઈએ. જે કરદાતાઓએ અગાઉ રિટર્ન ફાઇલ ન કર્યું હોય અથવા જૂના રિટર્નમાં વિદેશી સંપત્તિ દર્શાવવાની રહી ગઈ હોય, તેઓ નિયત નાણાકીય મર્યાદામાં રહીને આ ઘોષણા કરી શકે છે.
