વંદાથી છુટકારો મેળવવા માટે તમે કદાચ અસંખ્ય ઉપાયો અજમાવ્યા હશે છતાં થોડા સમય પછી તમને વંદા અને તેમના બચ્ચાં ફરીથી ફ્રિજની નીચે અથવા રસોડાના ડ્રોઅરમાં જોવા મળે છે. તેનું કારણ એ નથી કે ઘરેલું ઉપાયો બિનઅસરકારક છે. પરંતુ તમારી પોતાની ભૂલો જ તેમને કાયમી ધોરણે જતા અટકાવે છે અથવા તેમને પાછા આવવા માટે મજબૂર કરે છે. જો તમે ઈચ્છો છો કે આ વખતે તેમને ભગાડ્યા પછી તેઓ પાછા ન આવે તો આ 6 સામાન્ય ભૂલો કરવાનું ટાળો. જાણો કઈ ભૂલો વંદાને તમારા રસોડામાં પાછા આવવા માટે આમંત્રણ આપે છે.
સિંક ડ્રેઇનમાં પાણી
વંદા ખોરાક વિના 30 દિવસ સુધી જીવંત રહી શકે છે પરંતુ પાણી વિના માત્ર સાતથી આઠ દિવસમાં જ મરી જાય છે. તેથી તમારા રસોડાની ડ્રેઇન (પાણીના નિકાલની જગ્યા) ને સંપૂર્ણપણે સૂકી રાખો. ખાતરી કરો કે ડ્રેઇનમાં પાણી ભરાઈ ન રહે, ખાસ કરીને રાત્રે જ્યારે તેઓ ખોરાકની શોધમાં બહાર નીકળે છે. ગરમ પાણી અથવા સફાઈના સાધનોનો ઉપયોગ કરીને ડ્રેઇનમાં જામતી ચીકણાશ દૂર કરો. આનાથી ડ્રેઇન સ્વચ્છ રહે છે અને પાણી ભરાતું નથી. વધુમાં પાણી અંદર જતું અટકાવવા માટે રાત્રે ડ્રેઇનને ઢાંકી દો. પાણી ન મળવાને કારણે વંદા જલ્દી મરી જશે.
સ્ટવની પાછળ સફાઈ
જ્યાં તમે રસોઈ બનાવો છો તે સ્ટવની પાછળ ચીકણાશ જામી જાય છે. દરેક વખતે રસોઈ બનાવ્યા પછી આ જગ્યાને સારી રીતે સાફ કરવાની ખાતરી કરો. આ ચીકણાશમાં ઘણીવાર ખોરાકના નાના કણો હોય છે જે વંદા માટે ખોરાકનું કામ કરે છે, તેથી આવી ચીકણાશ વાળી જગ્યાઓને સ્વચ્છ રાખવી ખૂબ મહત્વપૂર્ણ છે.
કાર્ડબોર્ડ બોક્સ રાખવાનું ટાળો
ઓનલાઇન ડિલિવરીમાંથી મળેલા કાર્ડબોર્ડ બોક્સ ક્યારેય રસોડામાં ન રાખો. વંદા આ બોક્સમાં વપરાતા ગુંદરને ખાય છે, તેમાં ઈંડા મૂકે છે અને તેને છુપાવવાની જગ્યા તરીકે વાપરે છે. ટૂંકમાં આ બોક્સ તેમના માટે આદર્શ ઘર બની જાય છે. તેને ક્યારેય તમારા રસોડામાં કે ઘરમાં અન્ય ક્યાંય ન રાખો.
આ પણ વાંચો: સપ્ટેમ્બરમાં ઘરે કુંડામાં ઉગાડો સુંદર મોર્નિંગ ગ્લોરી, આ સરળ ગાર્ડનિંગ ટિપ્સથી કુંડું ફૂલોથી ઊભરાશે
સ્ટિકી પેડ્સ યોગ્ય જગ્યાએ મૂકો
રસોડા અને ઘરમાં એવી જગ્યાઓ પર સ્ટિકી પેડ્સ મૂકો જ્યાં વંદા દેખાવાની સૌથી વધુ શક્યતા હોય. જેમ કે ડ્રોઅરની અંદર, રેફ્રિજરેટરની નીચે અને સિંકની નીચેય જેથી વધુમાં વધુ જીવજંતુઓને પકડી શકાય.
આ પણ વાંચો: જૂની વાંસની ટોપલી ફેંકી દેશો નહીં, ઘરે જ બનાવો અનોખું સિમેન્ટનું કુંડું, બગીચો ખીલી ઉઠશે
વંદાના સ્પ્રેને બદલે જેલ બેટ્સનો ઉપયોગ કરો
મોટાભાગના લોકો વંદાથી છુટકારો મેળવવા માટે સ્પ્રેનો ઉપયોગ કરે છે પરંતુ તે બહુ અસરકારક હોતા નથી. તેમને અસરકારક રીતે ખતમ કરવા માટે વિવિધ જગ્યાએ જેલ બેટના નાના ટીપાં લગાવો. વંદા તેને ખાવાની શક્યતા વધારે હોય છે, જેનાથી તેમનો નાશ થાય છે.
ઘરગથ્થુ ઉપાયોનો યોગ્ય રીતે ઉપયોગ કરો
જો તમે બોરિક એસિડ પાવડર જેવા પદાર્થોનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેનું માત્ર ખૂબ જ પાતળું પડ લગાવો. જાડું પડ લગાવવાથી વંદા તેના પરથી સીધા ચાલીને નીકળી શકે છે અને તેને ખાતા નથી. યોગ્ય પદ્ધતિથી તેનો ઉપયોગ કરવાથી વંદાનો અસરકારક રીતે નાશ થાય છે.
