ગુજરાતમાં મેઘતાંડવથી રેલ્વે વ્યવહાર ખોરવાયો, આજે અને આવતીકાલે આટલી ટ્રેનો રદ્દ રહેશે

ગુજરાતમાં મેઘતાંડવથી રેલ્વે વ્યવહાર ખોરવાયો, આજે અને આવતીકાલે આટલી ટ્રેનો રદ્દ રહેશે

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


ગુજરાતના સુરત અને મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સતત ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પશ્ચિમ રેલ્વેના વિવિધ વિભાગોમાં ટ્રેન સેવાઓ ભારે ખોરવાઈ ગઈ છે. ગુજરાતમાં વડોદરા અને સુરતમાં પૂરનો સૌથી વધુ ભોગ બન્યા છે. પાણી ભરાઈ જવાને કારણે કેટલાક વિસ્તારોમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. પાટા પર પાણી ભરાઈ જવાથી ટ્રેન કામગીરી પર અસર પડી છે. પરિણામે 8 જુલાઈના રોજ ગુજરાતમાંથી પસાર થતી ઘણી ટ્રેનો રદ કરવામાં આવી હતી, જ્યારે અસંખ્ય મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના રૂટ અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. કેટલીક ટ્રેનોને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચતા પહેલા જ રોકવી પડી હતી. ત્યાં જ આગામી 9 જુલાઈ અને 10 જુલાઈના રોજ પણ કેટલીક ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

દેશગુજરાતના અહેવાલ મુજબ, પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું હતું કે સચિન-ભેસ્તાન અને નવસારી-મરોલ સેક્શનમાં પાણી ભરાવાના કારણે રેલ ટ્રાફિક પર અસર પડી હતી, જેના કારણે ટ્રેનો તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચે તે પહેલાં જ સેવાઓ રદ કરવી પડી હતી અથવા ટ્રેનો રોકવી પડી હતી. રેલ્વે અધિકારીઓએ મુસાફરોને સલાહ આપી છે કે તેઓ તેમની મુસાફરી શરૂ કરતા પહેલા તેમની ટ્રેનોની વર્તમાન સ્થિતિ તપાસે.

9 જુલાઈ 2026 (ગુરુવાર) ના રોજ રદ કરાયેલી ટ્રેનો

  • 19426 નંદુરબાર-બોરીવલી એક્સપ્રેસ
  • 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ

10 જુલાઈ 2026 (શુક્રવાર) ના રોજ રદ કરાયેલી ટ્રેનો

  • 19417 બોરીવલી-વટવા એક્સપ્રેસ
  • 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલ

આ પણ વાંચો: અમદાવાદમાં ગત વર્ષે હાથીઓ બેકાબૂ થયા, આ વર્ષે રથયાત્રામાં એવી ઘટના નહીં બને; કડક નિયમો જાહેર



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *