Summer season Kitchen Ideas Gujarati: ઉનાળામાં કોથમીર ફુદીનો ઝડપથી સુકાઈ જાય છે અથવા સડી જાય છે. આવી સ્થિતિમાં, તમે તેને લાંબા સમય સુધી તાજું રાખવા માટે કેટલાક પગલાં લઈ શકો છો. આ બંને વસ્તુઓનો ઉપયોગ ઉનાળામાં વધુ થાય છે. બજારમાંથી લાવીને ફ્રિજમાં સ્ટોર કર્યા પછી પણ, ઘણી વખત તેના પાંદડા કાળા થવા લાગે છે. તેના પાંદડા કરમાઇ જવા, સુકાઇ જવા અને સડવાથી રોકવા માટે આ ટીપ્સ અપનાવો.
કોથમીર અને ફુદીનાનો સંગ્રહ કેવી રીતે કરવો?
આ રીતે સાફ કરો
જો કોથમીર અને ફુદીનાને યોગ્ય રીતે સાફ ન કરવામાં આવે તો તે ઝડપથી સડી જાય છે. આવી સ્થિતિમાં, ફક્ત પાણીથી ધોવાથી કામ નહીં કરે. તેને સાફ કરવા માટે, પાણીમાં થોડુંક મીઠું ઉમેરો. આ પછી, કોથમીર-ફુદીનાને સાફ કરો. ત્યાર પછી તેને સુકાવી દો. હવે સ્ટોર કરો. આમ કરવાથી બેક્ટેરિયાની વૃદ્ધિને રોકવામાં મદદ મળશે.
પેપરમાં લપેટી મૂકો
કોથમીર અને ફુદીનો ઘરે લાવ્યા પછી તેને સ્વચ્છ સૂકા પેપર નેપકિન કે પેપરમાં લપેટો. પછી તેને એરટાઇટ ડબ્બા અથવા ઝિપ લોક બેગમાં રાખો. તમે તેને ફ્રિજના વેજિટેબલ કમ્પાર્ટમેન્ટમાં પણ રાખી શકો છો. અહીં તાપમાન અને ભેજ સંતુલિત રહે છે, જે પાંદડાને તાજા રાખે છે.
પેસ્ટ બનાવવા રાખો
જો કોથમીર અને ફુદીનો વધારે છે, તો પછી આ બંને વસ્તુઓની એક સરસ પેસ્ટ અલગ અલગ બનાવો. તેને આઇસ ક્યૂબમાં ભરી ફ્રિજમાં સ્ટોર કરો. આ રીતે તે ખૂબ લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. તમે જરૂરિયાત મુજબ કોઈપણ વાનગીમાં તેનો ઉપયોગ કરી શકો છો.
તરબૂચ ખાધા પછી તરત પાણી પીવું કે નહીં? 99 ટકા લોકો કરે છે આ 5 ભૂલ
તરબૂચ ઉનાળાનું ફળ છે. તરબૂચમાં 90 ટકા જેટલું પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે. આમ તો તરબૂચ શરીર માટે ફાયદાકારક છે જો કે તેને ખાતી વખતે અજાણતામાં થતી ભૂલો પાચનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીયે તરબૂચ ખાતી વખતે કઇ ભૂલ કરવાનું ટાળવું જોઇએ. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
