કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દિપકે 6 જૂને ભારત પરત ફરશે, ફોલોઅર્સને કરી આવી અપીલ

કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર અભિજીત દિપકે 6 જૂને ભારત પરત ફરશે, ફોલોઅર્સને કરી આવી અપીલ

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Cockroach Janata Celebration : સોશિયલ મીડિયા પેજ કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના ફાઉન્ડર અભિજીત દિપકેએ  6 જૂને ભારત પરત ફરી રહ્યા છે. અભિજીતે સોમવારે જાહેરાત કરી છે કે તેઓ નીટ પેપર લીક કૌભાંડ પર કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન શરૂ કરવા માટે 6 જૂને ભારત પરત ફરશે. ઇન્સ્ટાગ્રામમાં જાહેર કરવામાં આવેલા એક વીડિયોમાં અભિજીત દિપકે સમર્થકો અને વિદ્યાર્થીઓને દિલ્હીમાં તેમના વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાની અપીલ કરી છે.

અભિજીત દિપકે  કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે બધા ભારતના બંધારણના માર્ગ પર ચાલીને એક સાથે આવીએ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવા માટે શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવીએ. જો આપણે સાથે મળીને અવાજ ઉઠાવીશું તો તેઓએ ચોક્કસપણે આપાણી વાત સાંભળવી પડશે.

તેમણે કહ્યું કે મેં નક્કી કર્યું છે કે હું શનિવારે સવારે 6 જૂને દિલ્હી પહોંચીશ. કૃપા કરીને એરપોર્ટ પર મારી સાથે જોડાઓ અને અમે સાથે મળીને જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી માંગવા માટે પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન જઈશું.

દિલ્હી હાઈકોર્ટે સીજેપીના એક્સ એકાઉન્ટને તાત્કાલિક અનબ્લોક કરવાનો આદેશ આપવાનો ઇનકાર કર્યાના થોડા દિવસો પછી આ જાહેરાત આવી છે.

તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી તમે બધા જોઈ રહ્યા છો કે કેવી રીતે અમે સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવી રહ્યા છીએ અને ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવાની માંગ કરી રહ્યા છીએ.

આઠ લાખ વિદ્યાર્થીઓએ અમારી અરજી પર હસ્તાક્ષર કર્યા

અભિજીત દિપકે કહ્યું કે આઠ લાખ વિદ્યાર્થીઓએ અમારી અરજી પર હસ્તાક્ષર કર્યા છે. સોશિયલ મીડિયા પર પણ કરોડો લોકોએ આ માંગને સમર્થન આપ્યું છે. એટલું જ નહીં, લખનઉ, જયપુર, મહારાષ્ટ્ર જેવા દેશભરમાં અનેક સ્થળોએ આ મુદ્દે વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. તેમ છતાં, તેઓ હજી પણ કાળજી લેતા નથી.

અભિજીત દિપકે કહ્યું કે 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓના જીવનની મજાક કરવામાં આવી છે, જેમાં નીટના 22 લાખ, સીબીએસઈના 17 લાખ, સીયુઇટીના 16 લાખ અને એસએસસી જીડીના 40 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ તેમના ભવિષ્ય માટે ખૂબ જ ચિંતિત છે. કોઈએ આની જવાબદારી લેવી પડશે.

કોકરોચ જનતા પાર્ટીનો જન્મ કેવી રીતે થયો

દેશના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની કોકરોચ ટિપ્પણી પછી 16 મે ના રોજ બનેલ કોકરોચ જનતા પાર્ટી નામનું એક્સ એકાઉન્ટ સોશિયલ મીડિયા પર ઘણું ચર્ચામાં રહ્યું હતું.  ઇન્સ્ટાગ્રામ પર કોકરોચ જનતા પાર્ટીને ફક્ત એક સપ્તાહમાં 2 કરોડથી વધારે લોકોએ ફોલો કર્યું હતું.  સોશિયલ મીડિયામાં સીજેપી એકાઉન્ટ બનાવ્યા પછી અભિજીત દિપકે મે મહિનામાં પ્રસિદ્ધિ મેળવી હતી. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *