
Mathura Information : ઉત્તર પ્રદેશના વૃંદાવન ખાતે એક મોટી દુર્ઘટના સામે આવી છે. લુધિયાણાથી વૃંદાવન ફરવા આવેલા યાત્રાળુઓને લઈને જતી એક હોડી યમુના નદીમાં પલટી ગઈ હતી, જેથી તમામ યાત્રાળુઓ ડૂબવા લાગ્યા હતા. યાત્રાળુઓનો બૂમો સાંભળીને આસપાસના લોકો તેમને બચાવવા દોડી આવ્યા હતા. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 15 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્ર પ્રકાશ સિંહે મૃત્યાંકની પુષ્ટિ કરતા કહ્યું કે બોટમાં સવાર તમામ પ્રવાસીઓ પંજાબના હતા. છ મૃતદેહ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં 16 થી 17 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો ચાલુ છે. બોટમાં બે ડઝનથી વધુ પ્રવાસીઓ સવાર હોવાનું કહેવાય છે. SDRF અને NDRF ની ટીમો અને લગભગ 50 સ્થાનિક ગોતાખોર સાથે બચાવ કામગીરી ચાલી રહી છે.
હોડી પોન્ટૂન પુલ સાથે અથડાઈ હતી
અધિકારીઓએ જણાવ્યું કે ગુલાબ નામના સ્થાનિક ગોતાખારે જણાવ્યું કે અત્યાર સુધીમાં લગભગ 15 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીએ મીડિયાને જણાવ્યું કે ભારે પવનને કારણે હોડી નદીના મધ્યમાં જોરથી હલવા લાગી હતી. તેની ગતિ વધી ગઈ અને તે પોન્ટૂન પુલ સાથે અથડાઈ હતી, જેના કારણે તે પલટી ગઈ હતી.
પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર સંયુક્ત રીતે બચાવ કામગીરી ચલાવી રહ્યા છે, જેમાં ગોતાખોર ગુમ થયેલા વ્યક્તિઓ માટે નદીના ઊંડા ભાગોમાં શોધ કરી રહ્યા છે. પરિસ્થિતિ પર નજર રાખવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
હોર્મુઝ જળમાર્ગ બંધ થવાથી રશિયાને થયો મોટો ફાયદો
સીએમ યોગી આદિત્યનાથે મથુરા દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. સીએમ યોગીએ તમામ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત અને બચાવ કામગીરી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. સીએમ યોગીએ કહ્યું કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જઇ તેમની સારવાર શરૂ કરવામાં આવે.
