આ સાથે દિનેશભાઈ સુથારે વધુ માહિતી આપી કે, આ નવીન યોજના આર્થિક રીતે પણ સમાજ અને પરિવારો માટે લાભદાયી સાબિત થઈ રહી છે. દાતા પાસેથી માત્ર 31,000 રૂપિયા જેવી નજીવી રકમ લઈ સમાજ લગ્નનો તમામ ખર્ચ ભોગવે છે. ગત વર્ષે સમૂહ લગ્નમાં 6 યુગલો પાછળ 20 લાખનો ખર્ચ થયો હતો, જ્યારે આ દૈનિક યોજનામાં તેટલા જ લગ્ન માત્ર બે લાખમાં પૂર્ણ થઈ શકે છે, જેથી સમાજની મોટી બચત થાય છે.

