અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવનું બુધવારે સવારે લખનૌમાં અવસાન થયું. સિવિલ હોસ્પિટલના ડોકટરોના જણાવ્યા અનુસાર પ્રતીકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યાં સુધીમાં તેનું અવસાન થઈ ચૂક્યું હતું. દરમિયાન પ્રતીક યાદવના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પલ્મોનરી એમબોલિઝમને તેમના મૃત્યુનું કારણ જણાવવામાં આવ્યું છે.
પલ્મોનરી એમબોલિઝમ એ એવી સ્થિતિ છે જેમાં શરીરમાં લોહીનો ગંઠો બને છે. ગાંઠો ઘણીવાર પગની નસોમાં ઉદ્ભવે છે અને ફેફસાંની ધમનીઓમાં જમા થઈ ફસાઈ જાય છે. આનાથી ફેફસાંમાં લોહી અને ઓક્સિજનના પ્રવાહમાં અચાનક અવરોધ આવે છે. ફેફસાંમાં લોહીનો પ્રવાહ બંધ થવાથી આખરે મૃત્યુ થાય છે. જ્યારે રક્ત પ્રવાહ અવરોધાય છે ત્યારે શરીર ઓક્સિજનથી વંચિત રહે છે.
આ સ્થિતિમાં હૃદયની જમણી બાજુ પર ભારે દબાણ આવે છે, જે હૃદયની નિષ્ફળતા તરફ દોરી શકે છે. જોકે આ ચોક્કસ કિસ્સામાં મોટા ગઠ્ઠાની હાજરીને કારણે શ્વાસ અચાનક બંધ થઈ ગયો, જેના કારણે પ્રતીક યાદવનું થોડીવારમાં જ મૃત્યુ થયું.
અનોખી પહેલ! ગુજરાતમાં અહીં માત્ર 1 રૂપિયામાં કરાવાયા 6 નવયુગલોના સમૂહ લગ્ન
પ્રતીક યાદવના શંકાસ્પદ મૃત્યુ પર પ્રશ્નો ઉભા થયા
પ્રતીક યાદવના મૃત્યુની આસપાસના શંકાસ્પદ સંજોગો અંગે વિવિધ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. મુલાયમ સિંહ યાદવના નાના પુત્રના મૃત્યુ પછી તેમના નજીકના મિત્ર સુમિત તરફથી એક નિવેદન બહાર આવ્યું છે. સમાચાર એજન્સી ANI સાથે વાત કરતા સુમિતે જણાવ્યું હતું કે પ્રતીક યાદવ કોઈ ગંભીર બીમારીથી પીડાતા નહોતા. પ્રતીકના મિત્ર સુમિતે ટિપ્પણી કરી, “પ્રતીકને કોઈ ગંભીર બીમારી નહોતી. હું તેનો મિત્ર છું. અમે સાથે જીમમાં કસરત કરતા હતા.”
