Akhilesh Yadav : ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે શનિવારે પરિવારવાદના આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેના પોતાના ફાયદા પણ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે તેમની પાર્ટી ક્યારેય તૂટી નથી કારણ કે પાર્ટીમાં એક જ પરિવારના પાંચ સાંસદો છે.
સપાના વડાએ લખનઉમાં સપા મુખ્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિરોધીઓએ પાર્ટીને તોડવાનો પ્રયાસ કર્યો હોવાની અફવાઓને પણ નકારી કાઢી હતી.
ભાજપના આ આરોપ અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં અખિલેશ યાદવે કહ્યું કે પરિવારના ફાયદા વિશે પણ વિચારવું જોઈએ. સવાલ એ હતો કે સપા એક જ પરિવારના ઘણા ઉમેદવારોને ટિકિટ આપીને રાજકારણમાં ભત્રીજાવાદને પ્રોત્સાહન આપી રહી છે.
‘પરિવારવાદનો ફાયદો શું છે’
અખિલેશ યાદવે કહ્યું કે કેટલીકવાર તમારે એ પણ વિચારવું જોઈએ કે પરિવારવાદનો ફાયદો શું છે. તેમણે વધુમાં ધ્યાન દોર્યું હતું કે તાજેતરમાં લોકસભામાં એવું સાંભળવામાં આવ્યું હતું કે સાંસદોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અખિલેશ યાદવે સવાલ કર્યો હતો કે ઘણી પાર્ટીઓમાં તૂટ પડી હતી. શું તમે ક્યારેય વિચાર્યું છે કે સપામાં તૂટ કેમ ના થઇ? કારણ કે તેના પાંચ સાંસદો એક જ પરિવારના હતા અને અમારી પાસે ઘણા મુસ્લિમ સાંસદો હતા અને કેટલાક ચુસ્ત સમાજવાદી હતા. હું કહું છું કે કેટલીકવાર પરિવારવાદના ફાયદા પણ હોય છે. તેમણે એમ પણ કહ્યું કે સપાને તોડવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી.
ઓમ પ્રકાશ રાજભરે દાવો કર્યો હતો
ઉલ્લેખનીય છે કે આ વર્ષે જૂનમાં એનડીએના સાથી પક્ષ સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરે દાવો કર્યો હતો કે ટીએમસી કોંગ્રેસના ભાગલા બાદ સપા સંસદમાં આગામી વિપક્ષી પાર્ટી બની શકે છે જેમાં ફૂટ પડી શકે છે.
અખિલેશ યાદવના પરિવારમાં કોણ-કોણ સાંસદ છે?
અખિલેશ યાદવ જે સાંસદોની વાત કરતા હતા તેમાં પોતે કન્નૌજથી સાંસદ છે, તેમની પત્ની ડિમ્પલ મૈનપુરીથી સાંસદ છે, તેમના પિતરાઇ ભાઇ આદિત્ય યાદવ બદાયુંથી સાંસદ છે, અક્ષય યાદવ ફિરોઝાબાદ અને ધર્મેન્દ્ર યાદવ આઝમગઢથી સાંસદ છે.
પોતાની કોર વોટ બેંક એમવાય એટલે કે મુસ્લિમ-યાદવને જાળવી રાખવા અને બિન-યાદવ ઓબીસી મતોમાં સેંધ લગાવવાના પ્રયાસમાં અખિલેશ યાદવે 2024 ની લોકસભા ચૂંટણીમાં યુપીની 62 બેઠકો પર માત્ર પાંચ યાદવ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. રસપ્રદ વાત એ છે કે આ પાંચ ઉમેદવારો તેમના પરિવારના છે અને બધા ચૂંટણી જીત્યા છે.
ભાજપે યુવાનોને જોડવા માટે વિશેષ ટીમ બનાવી, સ્મૃતિ ઈરાની અને વિનોદ તાવડેને મોટી જવાબદારી મળી, હર્ષ સંઘવી પણ સામેલ
આદિત્ય મુલાયમ સિંહના ભાઈ અને જસવંતનગરના ધારાસભ્ય શિવપાલ યાદવના પુત્ર છે, જ્યારે અક્ષય સપાના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવના પુત્ર છે. રામ ગોપાલ યાદવ મુલાયમ સિંહના પિતરાઈ ભાઈ છે. ધર્મેન્દ્ર મુલાયમના ભાઈ અભય રામના પુત્ર છે, જે પોતે રાજકારણથી દૂર રહ્યા હતા.
સપા પ્રમુખે જે મુસ્લિમ સાંસદોનો ઉલ્લેખ કર્યો છે તેમાં ગાઝીપુરના અફઝલ અન્સારી, કૈરાનાની ઇકરા ચૌધરી, સંભલના જિયા-ઉર-રહેમાન અને રામપુરના મોહિબુલ્લાહનો સમાવેશ થાય છે. મોહિબુલ્લાહ સિવાય અન્ય ત્રણને તેમના પરિવારો પાસેથી રાજકીય વારસો મળ્યો છે.
