ચોમાસામાં માખી ભગાડવાના 3 સરળ ઉપાય, ઘરે કેમિકલ ફ્રી સ્પ્રે બનાવી છંટકાવ કરો

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Monsoon Flies Residence Cures In Gujarati : ચોમાસાનો વરસાદ એક બાજુ ગરમીથ રાહત આપે છે, તો બીજી બાજુ ઘણી સમસ્યા પણ સાથે લાવે છે. ઘણી વખત તમે જોયું હશે કે આ સમય દરમિયાન ભોજ જમતી વખતે અથવા રાંધતી વખતે માખીઓ પરેશાન કરે છે. ડાઇનિંગ ટેબલ, બારી, રસોડું, ફ્લોર અથવા જમીન પર વારંવાર માખીઓ જોવા મળે છે. તે ભોજન અને પીણાને ગંદું કરી શકે છે. 

ઘણા લોકો માખીને ભગાડવા માટે કેમિકલનો ઉપયોગ કરે છે. જો કે દરેકને તેનો ઉપયોગ કરવાનું પસંદ નથી હોતું. આવી સ્થિતિમાં કેટલીક સરળ ઘરેલું ઉપાયોની મદદથી તમે માખીને ઘર માંથી ભગાડી શકો છો.

માખી ભગાડવા માટે ઇન્સ્ટાગ્રામ પર alshihacks એકાઉન્ટ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં વરસાદની ઋતુમાં માખીઓને દૂર કરવાની સરળ રીતો જણાવવામાં આવી છે. જો તમે પણ ઘરમાં માખીથી પરેશાન છો, તો તમે આ ઘરેલું ઉપાય અપનાવી શકો છો.

ખોરાક અને કચરો ખુલ્લો ન રાખો

માખીઓને વાસી ખોરાક અને કચરાની ગંધ આકર્ષે છે. તેથી, રસોડામાં રસોઈ બનાવ્યા પછી અથવા ખાધા પછી જમીન પર પડેલા ખાદ્યપદાર્થો અને ગંદા વાસણોને તરત જ સાફ કરો. જો ખોરાક, પાણી અથવા કોઈ મીઠી વસ્તુ જમીન પર પડી હોય, તો તેને કપડા અથવા પાણીની મદદથી સાફ કરો. હંમેશાં ખોરાકને ઢાંકીને રાખો અને ઉપયોગ કર્યા પછી વાસણોને સિંકમાં ન છોડો. ઉપરાંત, ભીનો કચરો લાંબા સમય સુધી કચરાપેટીમાં એકઠો થવા દો નહીં. જેનાથી વધારે માખીઓ આવે છે.

પાણી જમા ન થવા દો

વરસાદ દરમિયાન ઘરની અંદર અને આસપાસ ઘણી જગ્યાએ પાણી ભરાઇ શકે છે. બાલ્કની, વાસણો, સિંકની આસપાસની જગ્યા કે ખુલ્લા કન્ટેનરમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ જાય છે, જે માખીઓનું જોખમ વધી શકે છે. આવી સ્થિતિમાં, જ્યાં પાણી એકઠું થાય છે તે જગ્યાઓને સ્વચ્છ અને સૂકી રાખવાનો પ્રયાસ કરો. જો કુંડાની નીચે મૂકેલી ટ્રેમાં પાણી એકઠું થઈ ગયું હોય તો તેને સમયાંતરે ખાલી કરી દો.

માખી ભગાડવાના ઘરેલુ ઉપાય

પ્રથમ ઉપાય

ઘણી વખત, કેટલાક લોકો માખીઓથી પરેશાન થયા પછી હાનિકારક કેમિકલનો ઉપયોગ કરે છે. જે બાળકો, પાળતુ પ્રાણી અથવા સગર્ભા સ્ત્રીઓને અગવડતા પેદા કરી શકે છે. આવી સ્થિતિમાં માખીઓને ભગાડવા માટે ઘરે સ્પ્રે બનાવી શકાય છે. 

બીજો ઉપાય

તે બનાવવા માટે, બે કપ ગરમ પાણીમાં મીઠું અને મરી પાવડર ઉમેરો અને તેને ઠંડુ કરો. હવે આ પાણીને સ્પ્રે બોટલમાં નાખો અને જ્યાં વધુ માખીઓ હોય ત્યાં છંટકાવ કરો. આ સિવાય તમે એક કપ ગરમ પાણીમાં આદુનો પાવડર મિક્સ કરીને છંટકાવ કરી શકો છો. જેનાથી માખીઓ ફરી પાછી આવશે નહીં.

ત્રીજો ઉપાય

વરસાદની ઋતુમાં બારીઓ અને દરવાજાની આસપાસ પાણી જમા થવા દો નહીં. ઉપયોગ કર્યા પછી રસોડાને સ્વચ્છ અને સૂકું રાખો. ચોમાસાની ઋતુમાં માખીઓ ગરમ જગ્યા શોધે છે. આવા કિસ્સામાં, તમે રૂમનું એસી ચાલુ કરી શકો છો. ઠંડીને કારણે માખીઓ ભાગી શકે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *