In the present day Information Sunday 9 August 2026 Replace In Gujarati : પૂર્વ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, નીટ પેપર લીક કેસના વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોએ Gen Z ને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આ કારણે તેમને રાજીનામું આપવું પડ્યું હતું. આ મુદ્દે મૌન તોડતા પ્રધાને કહ્યું કે મંત્રી પદ તેમના માટે ક્યારેય મહત્વનું નથી અને તેમણે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ધર્મેન્દ્ર પ્રધાને ભુવનેશ્વરની જીએમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. “Gen Z અમારા બાળકો છે. કેટલાક લોકોએ તેને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. તે સમયે મને કોઈ વ્યક્તિગત સમસ્યા નહોતી. ભારતમાં દર વર્ષે ઓછામાં ઓછા બે કરોડ બાળકોનો જન્મ થાય છે. છેલ્લા 10 વર્ષમાં 20 કરોડ બાળકોનો જન્મ થયો છે. તેમના પોતાના સપના છે અને તેઓ ભારતને ‘વિશ્વ ગુરુ’ બનાવશે. આ પદ મારા માટે મહત્ત્વનું ન હતું. ”
-
Aug 09, 2026 10:09 IST
ઝારખંડમાં ભૂખ હડતાળ કરનાર વિદ્યાર્થીઓના આંસુની કિંમત સોરેન સરકારે ચૂકવવી પડશે : આદિત્ય સાહુ
ઝારખંડ ભાજપ પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહુએ કહ્યું, “અમે વિદ્યાર્થીઓનું જે દ્રશ્ય જોયું, તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, તે ફક્ત વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના આંસુ નથી પરંતુ ઝારખંડના લાખો વિદ્યાર્થીઓના આંસુ છે. હેમંત સોરેનની સરકારે આ આંસુઓની કિંમત ચૂકવવી પડશે… આ સરકાર 15 દિવસથી ક્યાં સૂતી હતી?… ઝારખંડના વિદ્યાર્થીઓ અને લોકો સમજે છે. ઝારખંડ મુક્તિ મોરચાને આ આંસુઓની કિંમત ચૂકવવી પડશે… તેમને સીબીઆઈ તપાસથી શું વાંધો છે?
તેમણે ઉમેર્યું કે, આ વિદ્યાર્થીઓ છેલ્લા 17 દિવસથી વિરોધ કરી રહ્યા છે… રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી સાથે વાત કરવી જોઈએ, અને જો તેમની પાસે હિંમત હોય, તો તેમણે વિદ્યાર્થીઓના સમર્થનમાં મુખ્યમંત્રી નિવાસસ્થાનની બહાર જઈને વિરોધ કરવો જોઈએ. તેમણે સ્પષ્ટપણે કહેવું જોઈએ કે કાં તો ઝારખંડ સરકારે સીબીઆઈ તપાસનો આદેશ આપવો જોઈએ અથવા તેઓ આ સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લેશે…”
#WATCH | रांची, झारखंड: प्रदेश अध्यक्ष आदित्य साहू ने कहा, “हमने जो छात्रों का दृश्य देखा, बच्चों की आंखों से आंसू निकल रहे हैं, ये न केवल प्रदर्शनकारी छात्रों के आंसू हैं बल्कि झारखंड के करोड़ों छात्रों की आंसू है। इस आंसू की कीमत हेमंत सोरेन की सरकार को चुकानी पड़ेगा… 15… https://t.co/ut1jM6z1Lopic.twitter.com/L1Aa07vV62
— ANI_HindiNews (@AHindinews) August 9, 2026
-
Aug 09, 2026 09:48 IST
Gen Z ને ગેરમાર્ગ દોરવામાં આવ્યા છે – શિક્ષણ મંત્રી પદેથી રાજીનામાં બાદ ધર્મેન્દ્ર પ્રધાનનું મોટું નિવેદન
પૂર્વ શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, નીટ પેપર લીક કેસના વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક લોકોએ Gen Z ને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આ કારણે તેમને રાજીનામું આપવું પડ્યું હતું. આ મુદ્દે મૌન તોડતા પ્રધાને કહ્યું કે મંત્રી પદ તેમના માટે ક્યારેય મહત્વનું નથી અને તેમણે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
ધર્મેન્દ્ર પ્રધાને ભુવનેશ્વરની જીએમ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને સંબોધિત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. “Gen Z અમારા બાળકો છે. કેટલાક લોકોએ તેને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. તે સમયે મને કોઈ વ્યક્તિગત સમસ્યા નહોતી. ભારતમાં દર વર્ષે ઓછામાં ઓછા બે કરોડ બાળકોનો જન્મ થાય છે. છેલ્લા 10 વર્ષમાં 20 કરોડ બાળકોનો જન્મ થયો છે. તેમના પોતાના સપના છે અને તેઓ ભારતને ‘વિશ્વ ગુરુ’ બનાવશે. આ પદ મારા માટે મહત્ત્વનું ન હતું. ”
