શું સાપ સાચે જ માણસને જોતા જ હુમલો કરે છે? જાણો ક્યારે અને કેમ કરડે છે

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


When And Why Snakes Chunk People : સાપ જોઈને લોકો ઘણીવાર ડરી જાય છે. તેઓ વિચારે છે કે તે હુમલો કરી શકે છે અથવા કરડશે. ફિલ્મોમાં પણ સાપને ઘણીવાર માણસોનો પીછો કરતા અથવા હુમલો કરતા બતાવવામાં આવે છે. પરંતુ શું સાપ ખરેખર માણસને કરડવા માટે દોડે છે? સાપ કરડવાને લગતી ભારત સરકારની ગાઇડલાઇન્સ અનુસાર સાપ સામાન્ય રીતે માણસ પર હુમલો કરતા નથી જ્યાં સુધી તેમને પકડવામાં ન આવે, હેરાન કરવામાં ના આવે, ઘેરાયેલા ના હોય અથવા કોઇ ખૂણામાં ફસાવવામાં ના આવે.

જો કોઈ વ્યક્તિ અજાણતાં તેના પર પગ મૂકે છે અથવા તેનું શરીર દબાઇ જાય તો તે પોતાના બચાવમાં ડંખ મારી શકે છે. ઘણી વખત મનુષ્ય અને સાપ અચાનક સામસામે આવી જાય છે અને સાપ પોતાને બચાવવા માટે કરડે છે. ચાલો જાણીએ એવા સંજોગો વિશે કે જેમાં સાપ કરડવાનું જોખમ વધી શકે છે. જોકે દરેક પરિસ્થિતિ અને સાપની વર્તણૂક અલગ હોઈ શકે છે.

કયા સંજોગોમાં સાપ કરડવાનું જોખમ વધી શકે છે?

જ્યારે તમે ભૂલથી તેના પર પગ મૂકો છો

સાપ ઘણીવાર ખેતરો, ઘાસ, ઝાડીઓ અથવા અંધારામાં આપણને દેખાતો નથી. આ કિસ્સામાં ઘણી વખત કોઈ વ્યક્તિ અજાણતાં તેની ખૂબ નજીક આવી શકે છે અથવા તેના પર પગ મૂકી શકે છે. ભારત સરકારની ગાઇડલાઇન્સમાં પણ રાત્રે બહાર નીકળતી વખતે ટોર્ચનો ઉપયોગ કરવાની અને આવા માર્ગો પર કાળજીપૂર્વક ચાલવાની સલાહ આપવામાં આવી છે.

જ્યારે તેને પકડવા અથવા મારવાનો પ્રયત્ન કરવમાં આવે

સાપ દેખાતાની સાથે જ લોકો ઘણીવાર તેને પકડવાનો, ભગાડવાનો અથવા મારવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ પ્રયાસ પોતે જ જોખમ વધારી શકે છે. તેથી કોઈએ સાપને પકડવા, ડરાવવા અથવા તેના પર હુમલો કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.

તામિલનાડુમાં સાપ બચાવકર્તાઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સાપને હટાવવા અથવા મારવાનો પ્રયાસ કરતી વખતે પણ સાપ કરડી શકે છે, કારણ કે આવી સ્થિતિમાં સાપ પોતાને જોખમમાં અનુભવી શકે છે અને બચાવમાં ડંખ મારી શકે છે.

જ્યારે સાપને જવા માટે કોઈ જગ્યા ન હોય

જો સાપ ચારે બાજુથી ઘેરાયેલો હોય અથવા કોઈ ખૂણામાં ફસાઈ ગયો હોય, તો તેની પાસે બચવાના રસ્તા ઓછા હોય છે. આવી સ્થિતિમાં તે પોતાને બચાવવા માટે ડંખ મારી શકે છે. ભારત સરકારની માર્ગદર્શિકામાં પણ સાપની આસપાસ ન રહેવાની સલાહ આપવામાં આવી છે.

રિસર્ચમાં શું સામે આવ્યું છે?

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં સાપ બચાવ સંબંધિત 520 કેસો પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આમાં સંશોધકોએ એ સમજવાનો પ્રયાસ કર્યો કે મનુષ્ય અને સાપનો કઈ પરિસ્થિતિમાં વધુ આમનો સામનો થાય છે.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્થળ, વરસાદ, તાપમાન અને દિવસનો સમય જેવા ઘણા પરિબળોનું એ વાત પર અસર પડે છે કે મનુષ્ય અને સાપનો સામનો ક્યાં અને કેવી રીતે થાય. ઉદાહરણ તરીકે અધ્યયનમાં હાજર કરૈતની પ્રજાતિઓ મોટે ભાગે સાંજે 6 વાગ્યાથી મધ્યરાત્રિની વચ્ચે મળે છે.

તો શું સાપ માણસને જોઈને ભાગી જાય છે?

દરેક સાપ દરેક વખતે એક સમાન પ્રતિક્રિયા આપતો નથી. તેથી તમને જોતા જ દરેક સાપ ભાગી જશે એમ માની લેવું પણ યોગ્ય નથી. તેની વર્તણૂક પ્રજાતિઓ અને તે સમયની પરિસ્થિતિ પર આધારિત હોઈ શકે છે. પરંતુ જો તમે કોઈ સાપ જુઓ છો તો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેને ચીડવવો, પકડવો અથવા તેની ખૂબ નજીક જવાને બદલે તેને જગ્યા આપવી અને સલામત અંતર રાખવું.

જો તમને સાપ દેખાય તો શું કરવું?

ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ

  • સાપથી અંતર રાખો.
  • તેને પકડવાનો કે મારી નાખવાનો પ્રયત્ન ન કરો. 
  • તેને ચારે બાજુથી ઘેરી લેશો નહીં. 
  • રાત્રે બહાર જતી વખતે ફ્લેશલાઇટનો ઉપયોગ કરો.
  • જ્યાં જમીન સ્પષ્ટ દેખાતી નથી ત્યાં જોયા વિના પગ મૂકશો નહીં.
  • શૂઝ પહેરીને ચાલવું વધુ સારું છે.

ડિસ્ક્લેમર: આ લેખ સાપ અને સાપના કરડવાથી સંબંધિત સામાન્ય માહિતી અને સ્વાસ્થ્ય ગાઇડલાઇન્સના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. જો તમને સાપના કરડવાની શંકા હોય તો ઘરેલું ઉપચારો પર આધાર રાખશો નહીં અને તરત જ નજીકની હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *