રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્વતંત્રતાની 80મી વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રને સંબોધન કર્યું. પોતાના સંબોધનની શરૂઆતમાં રાષ્ટ્રપતિએ નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે 15 ઓગસ્ટ, 1947 ના રોજ ભારત માતાને ગુલામીના બંધનમાંથી મુક્તિ મળી હતી. બધા નાગરિકો સ્વતંત્ર ભારતના ભાગ્યના શિલ્પી બન્યા.
તિરંગો આપણી સ્વતંત્રતાનું પ્રતીક છે – રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વધુમાં કહ્યું કે, “થોડા જ કલાકોમાં આપણા દેશની સ્વતંત્રતાનું 80 મું વર્ષ શરૂ થશે. દેશ અને વિદેશમાં ભારતીયો આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. આપણો તિરંગો આપણી સ્વતંત્રતાનું પ્રતીક છે આપણે તેને ખૂબ ગર્વથી લહેરાવીએ છીએ.”
તેમણે કહ્યું, “સમર્પિત વિદ્યાર્થીઓ અને શિક્ષકો, વિકાસ માટે પ્રતિબદ્ધ વૈજ્ઞાનિકો અને ઇજનેરો, આરોગ્ય ક્ષેત્રમાં સેવા આપતા ડોકટરો અને આરોગ્યસંભાળ કાર્યકરો, મહેનતુ શ્રમિકો અને રાષ્ટ્રનું પોષણ કરતા ખેડૂતો બધા જ પોતાના પ્રયાસો દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે. અન્ય ક્ષેત્રોમાં સક્રિય અસંખ્ય નાગરિકો, તેમજ બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજોનું પાલન કરનારા બધા જ રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે. હું તે બધાની ખૂબ પ્રશંસા કરું છું.”
‘રાષ્ટ્ર માટે હંમેશા જાગૃત રહો’
રાષ્ટ્રપતિએ કહ્યું, “આપણા સમૃદ્ધ વારસા અને સ્વતંત્રતા સંગ્રામના આદર્શોને સ્વીકારીને આપણે આધુનિક વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યા છીએ. વૈદિક સૂત્ર ‘વાયમ રાષ્ટ્રે જાગૃયમ’ આપણને રાષ્ટ્ર માટે હંમેશા જાગૃત રહેવાની પ્રેરણા આપે છે.”
VIDEO | Addressing the nation, President Droupadi Murmu says, “For many years, Naxalism had been a critical problem for the nation. Making India Naxal-free is a significant achievement. Now, there may be an environment of enthusiasm in Naxal-affected areas, and growth is reaching all… pic.twitter.com/4eaGcyih0V
— Press Belief of India (@PTI_News) August 14, 2026
સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય ચહેરાઓ વિશે બોલતા તેમણે કહ્યું, “રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ, અસંખ્ય નાગરિકો સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા હતા. બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરે સામાજિક સુધારણા અને રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિના ઉચ્ચ આદર્શો સ્થાપિત કર્યા હતા. હું ભારત માતાના તે બધા મહાન સંતાનોને આદરપૂર્વક નમન કરું છું, જેમના આદર્શોથી આપણા દેશને સ્વતંત્રતા મળી અને તે સતત પ્રગતિ કરી રહ્યો છે.”
ભાગલાની પીડા પર બોલ્યા રાષ્ટ્રપતિ
પાકિસ્તાનના અલગ થવાનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિએ કહ્યું, “આજે 14 ઓગસ્ટના રોજ આપણે ‘વિભાજન ભયાનકતા સ્મૃતિ દિવસ’ ઉજવીએ છીએ. સાંપ્રદાયિક હિંસાને કારણે લાખો લોકોને શરણાર્થી બનવા અને ભાગલાની ભયાનકતા સહન કરવાની ફરજ પડી હતી. છતાં તેઓએ પોતાની ઓળખ ગુમાવી ન હતી.”
VIDEO | Addressing the nation, President Droupadi Murmu says, “Public examinations open the doorways of alternative for college students. Due to this fact, the federal government is taking complete steps to reform these examinations. The purpose of those reforms is to fully curb the usage of unfair… pic.twitter.com/L3TXed9nug
— Press Belief of India (@PTI_News) August 14, 2026
તેમણે વધુમાં કહ્યું, “જ્યારે આપણા દેશને આઝાદી મળી ત્યારે ભાગલાના ગંભીર પરિણામોની સાથે 550 થી વધુ રજવાડાઓને નવા સ્વતંત્ર ભારતમાં એકીકૃત કરવા એ એક અસાધારણ પડકાર હતો. સરદાર પટેલે રજવાડાઓને નાબૂદ કર્યા અને તેમને આપણા સ્વતંત્ર લોકશાહીમાં ભેળવી દીધા. લોકશાહીની માતા ભારતના નાગરિકોમાં જનભાગીદારીની ભાવના હંમેશા અસ્તિત્વમાં રહી છે. આપણા દેશવાસીઓ નવી ઉર્જા સાથે આ ભાવનાને આગળ ધપાવી રહ્યા છે.”
જનપ્રતિનિધિઓએ લોકોની આકાંક્ષાઓ વ્યક્ત કરવી જોઈએ: રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિએ કહ્યું, “આજે સામાન્ય પૃષ્ઠભૂમિના લોકો વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન આપી રહ્યા છે. આ મારા વિશ્વાસને મજબૂત બનાવે છે કે આજના ભારતમાં દરેક વ્યક્તિ મોટા સપના જોઈ શકે છે અને તે સપનાઓને સાકાર કરી શકે છે. વિધાનસભામાં લોકોની આકાંક્ષાઓને વ્યક્ત કરવી એ જનપ્રતિનિધિઓનું કર્તવ્ય છે. જાહેર હિત અને રાષ્ટ્રીય હિતને સેવા આપતી નીતિઓ અમલમાં મૂકવાની કારોબારીનું કર્તવ્ય છે. ન્યાયિક પ્રણાલી સાથે સંકળાયેલા દરેક વ્યક્તિનું કર્તવ્ય છે કે તે સુનિશ્ચિત કરે કે કોઈ પણ વ્યક્તિ સાધનના અભાવે ન્યાયથી વંચિત ન રહે. છેલ્લા એક દાયકામાં આપણા દેશે ઝડપી સમાવેશી વિકાસ હાંસલ કર્યો છે વારસો અને વિકાસ વચ્ચેના તાલમેલને પ્રાથમિકતા આપી છે અને પ્રગતિમાં અવરોધરૂપ અનેક દાયકાઓ જૂના અવરોધોને દૂર કર્યા છે.”
આ પણ વાંચો: આઝાદી સમયે 10 ગ્રામ સોનું માત્ર આટલા રૂપિયામાં મળતું હતું, 1947માં ખરીદેલું સોનું આજે હોત આટલા લાખનું
દ્રૌપદી મુર્મુએ કહ્યું, “આપણા દેશવાસીઓ મહાત્મા જ્યોતિબા ફૂલેની 200મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે. મહાત્મા ફુલે અને ક્રાંતિ-જ્યોતિ સાવિત્રીબાઈ ફુલેએ સામાજિક ન્યાય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને સમાનતાના ક્ષેત્રોમાં ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. તેમના આદર્શોના માર્ગદર્શન હેઠળ તાજેતરના વર્ષોમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગોના ઉત્થાનના ધ્યેયને રાષ્ટ્રીય પ્રાથમિકતા આપવામાં આવી છે.”
દેશની વિદેશ નીતિ પર પણ વાત કરી
રાષ્ટ્રપતિએ કહ્યું, “આપણા દેશમાં હાઇવે, જળમાર્ગો, રેલ્વે અને હવાઈ માર્ગો સહિત આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભૂતપૂર્વ વિસ્તરણ જોવા મળ્યો છે. આ નવા સાહસો માટે તકો ઉભી કરી રહ્યું છે અને નવી નોકરીઓ ઉત્પન્ન કરી રહ્યું છે સાથે સાથે રોકાણકારોનો વિશ્વાસ પણ વધારી રહ્યું છે. આપણા દેશનું અર્થતંત્ર સૌથી ઝડપી…”
