UP Police Asad Encounter In Ghaziabad : ગાઝિયાબાદની ખોડા કોલોનીમાં સૂર્યા નામના યુવકની હત્યાના મુખ્ય આરોપી અસદનો રવિવારે સવારે ઉત્તર પ્રદેશ પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. સૂર્યાની હત્યા બાદ અસદ ફરાર હતો. પોલીસ સતત તેની શોધખોળ કરી રહી હતી.
પોલીસે 50,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું
ડીસીપી ધવલ જયસ્વાલે જણાવ્યું હતું કે, 28 મેના રોજ સૂર્યા ચૌહાણને અસદ નામના વ્યક્તિએ છરીના ઘા માર્યા હતા. સૂર્યાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે પાંચ લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ કેસમાં ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાનો મુખ્ય આરોપી અસદ ફરાર હતો અને પોલીસ ટીમે તેની બાતમી આપનારને 50,000 રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. ”
ડીસીપી જયસ્વાલે જણાવ્યું હતું કે રવિવારે પોલીસ ટીમને માહિતી મળી હતી કે અસદ ખોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તેના કેટલાક મિત્રોને મળવા જઇ રહ્યો છે અને તેમની પાસેથી કેટલાક પૈસા લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે.
ડીસીપીના જણાવ્યા અનુસાર, આ માહિતીના આધારે પોલીસ ટીમે આખા વિસ્તારમાં તપાસ કરી હતી. આ દરમિયાન અસદ અને તેનો એક મિત્ર બાઇક પર ત્યાં પહોંચ્યા હતા. પોલીસ ટીમે તેમને રોકવા અને ચેતવણી આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રોકવાને બદલે તેઓએ પોલીસ ટીમ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો.
Ghaziabad, Uttar Pradesh: Police killed Asad, the primary accused within the Surya homicide case throughout an encounter in Indirapuram’s Abhay Khand. Khoda and Indirapuram police carried out the joint operation, one constable was injured. pic.twitter.com/80BvHN6kLD
— IANS (@ians_india) May 30, 2026
ડીસીપી એ જણાવ્યું હતું કે પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કર્યો હતો, જેમાં અસદને ગોળી વાગી હતી. અસદને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ફાયરિંગ દરમિયાન એક કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો હતો અને તેને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. અસદની સાયકલ અને ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ મળી આવી છે. તેમણે કહ્યું કે પોલીસ સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસ કરી રહી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
સૂર્યાની માતા સરોજે જણાવ્યું હતું કે, ‘… મેં માત્ર એક જ વ્યક્તિનું એન્કાઉન્ટર જોયું છે. પરંતુ હું અસદની તસવીર જોવા માંગુ છું. અન્ય લોકોન એન્કાઉન્ટર પણ આવા જ હોવા જોઈએ. ”
સરોજ કહે છે કે સાત લોકોએ મળીને મારા દીકરાને મારી નાખ્યો, બધાના ઘર પર બુલડોઝર ચલાવવા જોઈએ.
હિન્દુ સંગઠનોનો વિરોધ
આ કેસમાં ખોડામાં હિન્દુ સંગઠનોએ જોરદાર વિરોધ કર્યો હતો. સૂર્યાની બહેને કહ્યું હતું કે અસદે તેના ભાઈના પેટમાં છરી મારી હતી. બહેને કહ્યું હતું કે તેનો ભાઈ ઈદના દિવસે ઘરે હતો, તેને ફોન કરીને બોલાવ્યો હતો અને ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી.
નેશનલ પેરા એથ્લીટ ચિરાગ ત્યાગીની ગાઝિયાબાદમાં ગોળી મારીને હત્યા, પોલીસ તપાસ શરૂ
ગાઝિયાબાદમાં નેશનલ પેરા એથ્લીટ ચિરાગ ત્યાગીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેનો મૃતદેહ કોતવાલી પોલીસ સ્ટેશનની અંદરના સાંઈ ઉપવનમાં મળી આવ્યો હતો. શનિવારે સવારે જ્યારે તે દિલ્હીમાં તેની છાત્રાલયથી મુરાદનગરના તેના ગામ વસંતપુર સાથલી જવા નીકળ્યો ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસ હવે આ કેસની તપાસ કરી રહી છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
