At the moment Newest information reside replace 22 could 2026 friday: ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 10 રાજ્યોની 24 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. આગામી 21 જૂન, 2026ના રોજ ગુજરાતના 4 સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ધારાસભ્યોની વાત કરીએ તો રામભાઈ મોકરીયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારા નિવૃત્ત થતાં બેઠકો ખાલી પડશે.1લી જૂને જાહેરનામું બહાર પડશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8મી જૂન નક્કી કરાઈ છે. 18મી જૂને સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન અને તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી થશે.
-
Could 22, 2026 12:30 IST
At the moment Information Dwell: IEA ના વડાએ ચેતવણી આપી હતી કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી તેલ બજાર “રેડ ઝોન” ની નજીક પહોંચી ગયું
ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે 4 માર્ચથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે, જેના કારણે વિશ્વને તેલ અને ગેસની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. તેની અસર વૈશ્વિક શેરબજારો પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ફાતિહ બિરોલે વિશ્વને ચેતવણી આપી છે કે આગામી મહિનાઓમાં કટોકટી વધુ ખરાબ થઈ શકે છે. ઈરાન સંઘર્ષ અને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઉર્જા માર્ગોમાંથી એક દ્વારા તેલની હિલચાલમાં વિક્ષેપને કારણે આ કટોકટી વધુ વકરી રહી છે.
-
Could 22, 2026 11:47 IST
At the moment Information Dwell: ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી જાહેર, 18મી જૂને થશે મતદાન
ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 10 રાજ્યોની 24 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. આગામી 21 જૂન, 2026ના રોજ ગુજરાતના 4 સાંસદોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. આ ધારાસભ્યોની વાત કરીએ તો રામભાઈ મોકરીયા, નરહરી અમીન, શક્તિસિંહ ગોહિલ અને રમીલાબેન બારા નિવૃત્ત થતાં બેઠકો ખાલી પડશે.1લી જૂને જાહેરનામું બહાર પડશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8મી જૂન નક્કી કરાઈ છે. 18મી જૂને સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતદાન અને તે જ દિવસે સાંજે 5 વાગ્યે મતગણતરી થશે.
-
Could 22, 2026 11:27 IST
At the moment Information Dwell: સીએમ જોસેફ વિજયના મંત્રીમંડળમાં IUML અને VCKની એન્ટ્રી
ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) અને વિદુથલાઈ ચિરુથૈગલ કાચી (VCK) આખરે તમિલનાડુમાં વિજય સરકારના મંત્રીમંડળમાં પ્રવેશ કરી ચૂક્યા છે. શુક્રવારે લોકભવન ખાતે આયોજિત એક સમારોહમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર દ્વારા ધારાસભ્યો એ.એમ. શાહજહાં અને વન્ની અરાસુને મંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા.
પાપનાસમ વિધાનસભા મતવિસ્તારમાંથી જીતેલા શાહજહાં અને તિંદિવનમ મતવિસ્તારમાંથી જીતેલા વન્ની અરાસુએ મુખ્યમંત્રી સી. જોસેફ વિજયની હાજરીમાં પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. આ સાથે વિજયના મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત કુલ મંત્રીઓની સંખ્યા 35 થઈ ગઈ છે, જે બંધારણ હેઠળ મહત્તમ માન્ય છે.
-
Could 22, 2026 11:24 IST
At the moment Information Dwell: બંગાળ સરકાર પાસેથી સંપાદિત જમીન પર BSFએ વાડ બનાવવાનું કામ શરૂ કર્યું
પશ્ચિમ બંગાળના સિલિગુડીમાં ભારત-બાંગ્લાદેશ સરહદ પર વાડ બનાવવાનું કામ BSFએ શરૂ કર્યું છે. બંગાળની ભાજપ સરકારે તાજેતરમાં 27 કિલોમીટર જમીન BSFને સોંપી છે. વાડ બનાવવાનું કામ સિલિગુડીના ફાંસીદેવા વિસ્તારમાં થઈ રહ્યું છે. BSF દ્વારા આ પહેલ આ પ્રદેશમાં સરહદ સુરક્ષાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
સરહદી શહેરની છબીઓમાં પણ વાડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે તે જોવા મળે છે. વિસ્તારના રહેવાસીઓએ આ વિકાસ પર રાહત વ્યક્ત કરી, તેને લાંબા સમયથી ચાલતી ચિંતાઓનો ઉકેલ ગણાવ્યો.
-
Could 22, 2026 07:59 IST
At the moment Information Dwell: 40 દિવસના યુદ્ધમાં અમેરિકાએ 42 લશ્કરી વિમાન ગુમાવ્યા
યુએસ કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (CRS) ના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે ઈરાન સાથેના 40 દિવસના યુદ્ધ દરમિયાન યુએસ સૈન્યને ભારે નુકસાન થયું હતું. અહેવાલ મુજબ યુદ્ધ દરમિયાન 42 યુએસ લશ્કરી વિમાન નાશ પામ્યા હતા અથવા નોંધપાત્ર રીતે નુકસાન થયું હતું. આમાં અમેરિકાના સૌથી અદ્યતન F-35 સ્ટીલ્થ ફાઇટરનો સમાવેશ થાય છે.
