સૂર્યકુમાર યાદવે ટીમના સંયોજન વિશે પણ સંકેત આપતા જણાવ્યું હતું કે, આવતીકાલની મેચમાં અભિષેક, સૂર્યા અને સંજુની જોડી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, “જો ફાઇનલમાં બે સ્પિનરો રમે તો પણ ટીમને કોઈ ચિંતા નથી. અમને માત્ર રન બનાવવાની જ નહીં પરંતુ વિકેટ લેવાની પણ તેટલી જ ચિંતા છે. 250 રન થાય તેની ચિંતા નથી, અમે પરિસ્થિતિ પ્રમાણે રમત રમીએ છીએ.”

