ઈરાન-ઈઝરાયેલમાં યુદ્ધના કારણે કેટલાક પ્રવાસીઓ દુબઈમાં ફસાયા છે. ત્યારે રાજકોટના જયંત ભૂપતાણીનો પરિવાર દુબઈમાં અટવાયો છે. જયંતભાઈનો દીકરો 10 વર્ષથી દુબઈમાં નોકરી કરે છે. થોડા દિવસ પહેલા તેમના પત્ની પણ દુબઈ ફરવા ગયા હતા. જોકે યુદ્ધની સ્થિતિનું નિર્માણ થતા પરિવાર હાલ ચિંતામાં મુકાયો છે. હાલ પરિવાર વીડિયો કોલના માધ્યમથી એકબીજાના સંપર્કમાં છે. જોકે દુબઈમાં અટવાયેલા ગુજરાતીઓને સરકાર તાત્કાલિક પરત લાવે તેવી માગ કરી છે.
Source link
