Final Up to date:
માત્ર દાવા કરવાથી કામ નહીં ચાલેઃ કોર્ટ
રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે, CBI આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહી છે અને આ કેસમાં ન તો કોઈ ગુનાહિત ષડયંત્ર દેખાય છે અને ન જ કોઈ વિશ્વસનીય પુરાવા જોવા મળે છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, માત્ર દાવા કરવાથી કામ નહીં ચાલે. કોર્ટ કોઈ પણ આરોપ પર ત્યારે જ વિશ્વાસ કરી શકે છે, જ્યારે તેની સાથે નક્કર અને પર્યાપ્ત પુરાવા હોય. કોર્ટે કહ્યું કે, તપાસ એજન્સી દ્વારા રજૂ કરાયેલા પુરાવા નબળા અને અપૂરતા છે.
સિસોદિયા અને કેજરીવાલને ક્લીન ચીટ
સૌથી પહેલાં કોર્ટે કુલદીપ સિંહ, જેઓ આબકારી વિભાગમાં કમિશનર હતા, તેમને ક્લીનચીટ આપી. ત્યારબાદ મનીષ સિસોદિયાને રાહત આપી અને પછી અરવિંદ કેજરીવાલ સામે લગાવેલા આરોપો પણ ફગાવી દીધા. કોર્ટની ટિપ્પણીથી એ સ્પષ્ટ થયું કે, CBI તરફથી દાખલ કરાયેલી ચાર્જશીટમાં ઘણી ખામીઓ હતી. કોર્ટે કહ્યું કે, ઘણા એવા મુદ્દાઓ છે, જેના પર સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. આ જ આધારે રાહત આપવામાં આવી.
તપાસ એજન્સીએ કહ્યું- અમે હાઈકોર્ટમાં જઈશું
જોકે, તપાસ એજન્સીનું કહેવું છે કે તે આ આદેશથી સંતુષ્ટ નથી અને તેને હાઈકોર્ટમાં પડકારશે. સીબીઆઈના વકીલોએ સંકેત આપ્યો છે કે આદેશનો વિગતવાર અભ્યાસ કર્યા બાદ ઉચ્ચ અદાલતમાં અપીલ દાખલ કરવામાં આવશે.
આ સમાચાર તાજેતરમાં જ આવ્યા છે, તમે સૌથી પહેલા ન્યૂઝ18 ગુજરાતી પર આ સમાચાર વાંચી રહ્યા છો. અમે આ જ આર્ટિકલમાં વધુ વિગત ઉમેરી રહ્યા છીએ. વધારે વિગત માટે રિફ્રેશ કરતા રહો. gujarati.news18.com સાથે જોડાયેલા રહો અને તાજા સમાચાર મેળવો.
Feb 27, 2026 11:09 AM IST

