ગુજરાતમાં શ્વાનના આતંક વચ્ચે વધુ એક ઘટના દાહોદથી સામે આવી છે. જ્યાં એક મહિલા શાંતિથી રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે જ શ્વાન દોડીને તેના પગમાં ચોંટી પડ્યું હતુ અને બચકાં ભરીને ઘાયલ કરી નાખી હતી. શ્વાનના હુમલામાં ઘાયલ થતા મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ધ્રુજાવી નાખે એવા આ દ્રશ્યો દાહોદના મહાવીરનગરના છે. સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં કૂતરાએ આ રીતે બુધવારે પણ 10 લોકોને નિશાન બનાવ્યા હતા.
Source link
