દ્વારકાના સલાયામાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. પવિત્ર ધાર્મિક સ્થળો અને મુખ્ય બજારોમાં ગંદકી અને કચરાના ઢગલા જોવા મળ્યા. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી. ગંદકીના કારણે સ્થાનિકોને રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. વહેલી તકે પાલિકા યોગ્ય આયોજન કરી સફાઈ અભિયાન હાથ ધરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. તો બીજી તરફ પાલિકાના ચીફ ઓફિસરે સ્પષ્ટતા કર, કે પાલિકા પાસે ‘ડોર-ટુ-ડોર’ કચરો ઉઠાવવા માટે પૂરતા સાધનો ન હોવાથી લોકો જાહેરમાં કચરો ફેંકે છે. સાથે ચીફ ઓફિસરો દાવો કર્યો કે ટૂંક સમયમાં જ સમસ્યાનું નિરાકરણ આવશે. ત્યારે સવાલ એ ઉઠે છે કે વેરો ઉઘરાવતી પાલિકા પાસે સફાઈ માટે પૂરતા સાધનો કેમ નથી
Source link
