ગુજરાત: રાજ્યમાં હાલમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. ખેડૂતોની મગફળી, સોયાબીન, કપાસ, ડુંગળી સહિતના પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં અલગ-અલગ ટીમો બનાવી તાત્કાલિક ધોરણે સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે, સાથે કેટલીક જગ્યાએ ખેડૂતો પાસેથી ડિજિટલ સર્વે મંગાવી રહ્યા છે. જેથી ગુજરાતના અમુક વિસ્તારોમાં હાલ ચાલુ વરસાદે પણ તંત્ર દ્વારા સર્વેની કામગીરી શરૂ છે, તો કેટલાક ખેડૂતો જાતે જ મોબાઈલ મારફતે સરકારને નુકસાનીનો સર્વે મોકલી રહ્યા છે, ત્યારે અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જેવા અનેક જિલ્લામાંથી સરકારે હાથ ધરેલા આ ડિજિટલ સર્વે અંગે વિરોધના સૂર જોવા મળી રહ્યા છે.

