ખંભાળિયા: 80 વર્ષની વયે વૃદ્ધને ક્રિકેટ રમતા જુઓ તો સ્વભાવિક છે કે જેનારની આંખો ચાર થઈ જાય. પરંતુ આ હકીકત છે ખંભાળિયાના વતની અને જિંદગીના આઠમા દાયકે પહોંચેલા ગીરુભા જાડેજા આસપાસના વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. તેઓ છેલ્લા 30 વર્ષથી દર વર્ષે ખંભાળિયાથી માતાના મઢ સુધીની પદયાત્રા કરે છે. ચાલુ વર્ષે પણ ગીરુભા જાડેજા પોતાની પદયાત્રાનો પ્રારંભ કર્યો હતો. મહત્વનું છે કે 400 કિલોમીટરનું અંતર તેઓ માત્ર 6 કે 7 દિવસમાં જ પૂર્ણ કરે છે. આમ યુવાઓને હંફાવે તેવું જોમ ધરાવતા ગીરુભા જાડેજાએ ફરીથી પદયાત્રા પ્રારંભ કરતા મોટી સંખ્યામાં ગ્રામજનો તેમને શુભેચ્છા પાઠવવા માટે આવી પહોંચ્યા હતા.
Source link
