આ ઉપરાંત ચામડા અને ફૂટવેર, કેમિકલ્સ અને એન્જિનિયરિંગ ઉત્પાદનો, કૃષિ અને દરિયાઈ નિકાસ ક્ષેત્રના નિકાસકારો પણ નવા પડકારોનો સામનો કરી રહ્યા છે. જો કે, સરકાર નાના નિકાસકારોની સમસ્યા દૂર કરવા અને મૂડી પરનો દબાણ ઓછો થાય તે માટે યોજના બનાવી રહી છે. આનાથી નોકરીઓ સુરક્ષિત રહેશે અને નિકાસકારોને તેમના ઉત્પાદનો માટે નવા બજારો ન મળે ત્યાં સુધી ઉત્પાદન ચાલુ રાખવામાં મુશ્કેલી ન પડે, તે સુનિશ્ચિત કરવાના પ્રયાસો પણ કરવામાં આવશે.
