અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા કરી દ્વારકાધીશના કર્યા દર્શન, નીતા અંબાણી અને રાધિકા પણ રહ્યા હાજર

અનંત અંબાણીએ 10 દિવસની પદયાત્રા કરી દ્વારકાધીશના કર્યા દર્શન, નીતા અંબાણી અને રાધિકા પણ રહ્યા હાજર

ધર્મ RELIGION
Spread the love


Final Up to date:

આજે રામનવમીના પાવન પર્વે અનંત અંબાણીએ પદયાત્રા પૂર્ણ કરી છે. દ્વારકામાં અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.

અનંત અંબાણીની પદયાત્રા આજે પૂર્ણ કરી છે. અનંત અંબાણીની પદયાત્રા આજે પૂર્ણ કરી છે.
અનંત અંબાણીની પદયાત્રા આજે પૂર્ણ કરી છે.

જામનગર: આજે રામનવમીના દિવસે અનંત અંબાણીએ જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી છે. દસ દિવસની પદયાત્રા કરીને અનંત અંબાણીએ પરિવાર સાથે દ્વારકા મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરી છે. તેઓની સાથે માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, 29 માર્ચે નીકળ્યા પછી તેઓ દરરોજ લગભગ 20 કિલોમીટરનું અંતર કાપ્યું છે. દરરોજ રાત્રે લગભગ સાત કલાક ચાલતા હતા.

ભવ્ય સ્વાગત

આજે રામનવમીના પાવન પર્વે અનંત અંબાણીની જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા પૂર્ણ થઈ છે. દ્વારકામાં અનંત અંબાણી, નીતા અંબાણી અને રાધિકાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. રિલાયન્સ રોડ કિર્તી સ્તંભથી બ્રાહ્મણો, શારદાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રોચ્ચારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અનંત અંબાણી, નીતા અંબાણી અને રાધિકાએ આજે સવારે ભગવાન દ્વારકાધીશની મંગળા આરતી કરી છે. વિવિધ સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા અનંત અંબાણી અને પરિવારનું સ્વાગત કરવામાં આવ્યું છે.

રિલાયન્સના ડાયરેક્ટર અનંત અંબાણી જામનગરથી દ્વારકા તરફ પદયાત્રાએ જતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.

કોરાળા નજીક ગોવાથી આવેલા રતિલાલ પરમારે 10 રૂપિયાની ચલણી નોટના પદયાત્રા દરમિયાનના સીરીયલ નંબર ફોટોગ્રાફ્સ સાથે અનંત અંબાણીને અર્પણ કર્યા છે.

અનંત અંબાણીને સીરીયલ નંબર સાથેની યાદી આપનાર રતિલાલ પરમાર અનેક મહાનુભાવોને તેમના જન્મ તારીખ અને સંસ્મરણોની સિરિયલ નંબર સાથેની યાદી આપી રહ્યા છે. આ આધ્યાત્મિક પદયાત્રામાં અનંત અંબાણી દ્વારકા જતા માર્ગમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને દેવી સ્તોત્રનો જાપ કરી રહ્યા હતા.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *