13 જાન્યુઆરીએ ચંદ્રેશ ભાલિયા પર થયેલા હુમલાનો મુદ્દે ગરમાયો છે. કોળી યુવાનો શનિવારે પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા અને ન્યાયની માગ કરી. ફરિચાદી ચંદ્રેશ ભાલિયાએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, પોલીસે માત્ર નોન કોગ્નિઝેબલ ફરિયાદ નોંધી છે. આ ગુનામાં વધુ કલમો ઉમેરી ફરિયાદને વધુ કડક બનાવવા માગ કરાઈ. ચંદ્રેશની સાથે પહોંચેલા કોળી યુવાન વિશાલ ચાવડાએ આરોપ લગાવ્યો કે અલ્પેશ કથીરિયા પહેલેથી જ બદનામ છે. સાથે જ તેમણે કહ્યું કે સુરતને પોતાના બાપની જાગીર સમજનારા વિરૂદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે.
Source link
