SIPથી મોટો પૈસો કેવી રીતે બને છે? – Wealth1ના CEO નરેન અગ્રવાલના આ મામલે કહેવું છે કે, લાઇફટાઇમ હાઇ પછી કરેક્શન આવવું ઇક્વિટી બજારનો સ્વાભાવિક ભાગ છે. ઇતિહાસ સાક્ષી છે કે, મજબૂત બુલ માર્કેટમાં પણ ભારતીય બજારોમાં દર 12-18 મહિને 10-15 ટકાનો ઘટાડો આવ્યો છે. તેમ છતાં, છેલ્લા બે દાયકામાં નિફ્ટી 50એ આશરે 12-14 ટકા CAGR રિટર્ન આપ્યા છે. SIPના આંકડા પણ રોકાણકારોના વિશ્વાસને દર્શાવે છે. ભારતમાં માસિક SIP ઇનફ્લો હવે 20,000 કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. અગ્રવાલના મતે, કરેક્શન દરમિયાન SIP ચાલું રાખવી અને લોન્ગ ટર્મ લક્ષ્યો માટે રોકાણ વધારવું, વેલ્યુએશન નરમ થવા પર મોટો ફાયદો આપે છે. જોકે, વધારાનું રોકાણ હંમેશા રોકાણકારની જોખમ ક્ષમતા, એસેટ એલોકેશન અને રોકાણ અવધિ અનુસાર જ હોવું જોઈએ. અગ્રવાલના મતે, લાંબા ગાળામાં વેલ્થ બનાવવાની અસલી કુંજી ધૈર્ય અને સાચી ક્વોલિટીના રોકાણમાં જ છે.

