ભાઈબીજના દિવસે માધવના શરણે માનવ મહેરામણ ઉમટ્યું

ભાઈબીજના દિવસે માધવના શરણે માનવ મહેરામણ ઉમટ્યું

ધર્મ RELIGION
Spread the love



માધવના શરણે માનવ મહેરામણ ઉમટ્યું. યાત્રાધામ દ્વારકામાં ભાઈબીજના દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈન જોવા મળી અને મંદિર પરિસર જય દ્વારકાધીશના નાદથી ગુંજી ઉઠ્યું. ભગવાન શ્રીકૃષ્ણ ભાઈબીજના દિવસે બહેન સુભદ્રાના ઘરે ભોજન કરે છે, તેથી આ દિવસનું અનેરું મહત્ત્વ રહેલું છે. ભાઈબીજના પાવન અવસરે ગોમતી સ્નાનનું પણ વિશેષ મહત્ત્વ હોવાથી હજારો યાત્રિકો પવિત્ર સ્નાન કરવા પહોંચ્યા. ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી. દ્વારકા મુખ્ય મંદિર ઉપરાંત બેટદ્વારકામાં પણ ભીડ જોવા મળી. બીજી તરફ દ્વારકામાં પણ વેપારીઓના ચહેરા પર રોનક જોવા મળી.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *