Who’s Makhanlal Sarkar : પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં ભાજપ અને એનડીએના નેતાઓનો મેળાવડો જોવા મળ્યો હતો. શપથ ગ્રહણ સમારોહમાં એનડીએના તમામ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. ભાજપના સૌથી વૃદ્ધ કાર્યકર માખનલાલ સરકારને પણ સ્ટેજ પર સ્થાન મળ્યું હતું. જ્યારે પીએમ મોદી સ્ટેજ પર પહોંચ્યા ત્યારે તેઓ એક પછી એક બધાને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ભાજપના સૌથી વૃદ્ધ કાર્યકર્તા માખનલાલ સરકારને ગળે લગાવ્યા હતા.
પીએમ મોદીએ માખનલાલ સરકારને ગળે લગાવ્યા
પીએમ મોદીએ મંચ પર સૌની સામે માખનલાલ સરકારનું સન્માન કર્યું હતું. પીએમ મોદીએ માખનલાલ સરકારને શાલ ઓઢાળી હતી અને તેમને ગળે લગાવ્યા બાદ તેમના પગે લાગ્યા હતા. આ દ્રશ્ય જોયા બાદ મેદાનમાં હાજર બધા તાળીઓ પાડવા લાગ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મંચ પર ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની એક મોટી પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી.
કોણ છે માખનલાલ સરકાર?
માખનલાલ સરકાર ભાજપના સૌથી જૂના કાર્યકરોમાંથી એક છે. તેઓ ભાજપના સંસ્થાપક સભ્ય પણ છે. માખનલાલ સરકાર સિલિગુડીના વતની છે અને તેમની ઉંમર 98 વર્ષ છે. ભાજપે મંચ પર પોતાના સૌથી જૂના કાર્યકર્તાને જગ્યા આપીને મોટો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે આજે આપણે જે પણ છીએ તે કાર્યકર્તાઓના કારણે છે.
#WATCH | कोलकाता: प्रधानमंत्री नरेंद्र मोदी ने पश्चिम बंगाल में भाजपा के सबसे वरिष्ठ कार्यकर्ताओं में से एक माखनलाल सरकार का अभिनंदन किया और उनका आशीर्वाद लिया।
1952 में, माखनलाल सरकार को कश्मीर में तब गिरफ्तार किया गया था जब वे वहां भारतीय तिरंगा फहराने के आंदोलन के दौरान… pic.twitter.com/rMqWJnHCK3
— ANI_HindiNews (@AHindinews) May 9, 2026
તિરંગો ફરકાવવાના આંદોલન દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી
1952માં માખનલાલ સરકારની કાશ્મીરમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તેઓ તિરંગો ફરકાવવાના આંદોલન દરમિયાન શ્યામા પ્રસાદ મુખર્જી સાથે હતા. 98 વર્ષની ઉંમરે માખનલાલ સરકાર સ્વતંત્રતા પછીના ભારતમાં રાષ્ટ્રવાદી ચળવળ સાથે સંકળાયેલા શરુઆતના જમીની સ્તરના લોકોમાંથી એક છે.
સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બન્યા, જાણો કયા નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા
સુવેન્દુ અધિકારીની સાથે પાંચ મંત્રીઓએ પણ શપથ લીધા
સુવેન્દુ અધિકારીની સાથે પાંચ મંત્રીઓએ પણ શપથ લીધા છે. દિલીપ ઘોષ, અશોક કીર્તનીય, છુદીરામ ટુડુ, અગ્નિમિત્રા પોલ અને નિશિથ પ્રામાણિકે મંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ લીધા બાદ સુવેન્દુ અધિકારીએ પીએમ મોદીના પગે લાગ્યા હતા. આ પછી તેઓ તમામ નેતાઓને મળ્યા હતા. સ્ટેજ પર યુપીના સીએમ યોગી આદિત્યનાથે સુવેન્દુ અધિકારીના ગળામાં ભગવો પટ્ટો પહેરાવ્યો હતો.
