Punjab Information : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર શિરોમણી અકાલી દળે વિધાનસભાની અંદર દારુ પી ને આવવાનો આરોપ લગાવ્યો છે. આ સંદર્ભે અકાલી દળે તેના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ હેન્ડલ પરથી સીએમ માનનો એક વીડિયો પણ જાહેર કર્યો છે અને આ કૃત્યને શરમજનક ગણાવ્યું હતું.
બીજી તરફ ભાજપે પણ મુખ્યમંત્રીની ટીકા કરી છે અને તેને બંધારણ અને વિધાનસભાની ગરિમાનું અપમાન ગણાવ્યું છે. તે મુખ્યમંત્રી ભગવંત માને આ આક્ષેપો પર પ્રતિક્રિયા આપી હતી અને વિપક્ષના આક્ષેપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે વિપક્ષ પાસે કોઇ મદ્દો નથી.
શિરોમણી અકાલી દળે મુખ્યમંત્રી ભગવંત માનનો વીડિયો એક્સમાં જાહેર કરતા લખ્યું કે આ ખૂબ જ શરમજનક વાત છે કે ભગવંત માને આજે મજૂર દિવસના અવસર પર મુખ્યમંત્રી દારૂ પીને વિધાનસભાના પવિત્ર કક્ષમાં પહોંચ્યા. તમે સ્વંય જોઇ શકો છો કે મુખ્યમંત્રી વિધાનસભામાં કેવું વર્તન કરી રહ્યા છે. શિરોમણી અકાલી દળ મુખ્યમંત્રીના આ વર્તનની સખત નિંદા કરે છે અને કહે છે કે તેમણે આ દિવસે દારુ પીને આવવું જોઈએ નહીં.
અકાલી દળે ડોપ ટેસ્ટની માંગ કરી
અકાલી દળે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે શિરોમણી અકાલી દળ માંગ કરે છે કે મુખ્યમંત્રીને આજે સમગ્ર પંજાબની સામે ડોપ ટેસ્ટ કરાવવો જોઈએ જેથી પંજાબીઓને પણ સચ્ચાઇની ખબર પડે. કોંગ્રેસે પણ સીએમ ભગવંત માન પર દારૂ પીને વિધાનસભામાં આવવાનો આરોપ લગાવ્યો હતો અને ગૃહની બહાર નીકળી ગયા હતા.
ਬਹੁਤ ਸ਼ਰਮ ਦੀ ਗੱਲ ਹੈ ਕਿ @BhagwantMann ਅੱਜ ‘ਮਜ਼ਦੂਰ ਦਿਵਸ’ ਮੌਕੇ ਪਵਿੱਤਰ ਸਦਨ ਵਿਧਾਨ ਸਭਾ ਵਿੱਚ ਸ਼ਰਾਬ ਨਾਲ ਡੱਕ ਕੇ ਆ ਗਿਆ❗
ਤੁਸੀਂ ਖੁਦ ਹਾਲ ਦੇਖ ਲਓ ਮੁੱਖ ਮੰਤਰੀ ਦਾ, ਵਿਧਾਨ ਸਭਾ’ ਚ ਕਿਵੇਂ ਵਿਵਹਾਰ ਕਰ ਰਿਹਾ ਹੈ❗
ਸ਼੍ਰੋਮਣੀ ਅਕਾਲੀ ਦਲ ਮੁੱਖ ਮੰਤਰੀ ਦੇ ਇਸ ਵਤੀਰੇ ਦੀ ਸਖ਼ਤ ਨਿੰਦਾ ਕਰਦਾ ਹੈ, ਉਸਨੂੰ ਅੱਜ ਦੇ ਦਿਨ ਸ਼ਰਾਬ ਪੀਕੇ… pic.twitter.com/zuszvbRWea— Shiromani Akali Dal (@Akali_Dal_) May 1, 2026
સીએમ ભગવંત માનની પ્રતિક્રિયા
સીએમ ભગવંત માને આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે વિધાનસભામાં કહ્યું કે મે દિવસ માટે સત્રની શરૂઆત સકારાત્મક હતી, પરંતુ કોંગ્રેસ હંમેશા વોકઆઉટ થવાના બહાના શોધે છે. જ્યારે સ્પીકર કુલતાર સિંહ સંઘવાને ડોપ ટેસ્ટ અથવા કોઈપણ પ્રકારની તપાસની વિપક્ષની માંગને ફગાવી દીધી હતી.
મે મહિનામાં કેવું રહેશે હવામાન? જાણો ક્યાં રહેશે હિટવેવ અને ક્યાં પડશે સામાન્યથી વધારે વરસાદ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિપક્ષના આક્ષેપો પર કહ્યું કે તેમની પાસે ઉઠાવવા માટે કોઈ મુદ્દો નથી. કેવા પ્રકારનો ટેસ્ટ કરવો જોઈએ? તેમણે દારૂ પીવાના આરોપોને ફગાવી દીધા હતા. બીજી તરફ ધારાસભ્યોના પાર્ટી છોડવાના સમાચાર પર સીએમ માને કહ્યું કે આમ આદમી પાર્ટીના 65 કે 40 ધારાસભ્યોના પાર્ટી છોડવાની અટકળોનો આજે અંત આવ્યો છે.
