નવરાત્રી મહોત્સવમાં આરતી સમયે જ એક આખલો ધસી આવતા દોડધામ મચી જવા પામી હતી. આ ઘટના દ્વારકાધીશ મંદિર નજીકની છે. જ્યાં આયોજીત ગરબીમાં માતાજીની આરતી કરવામાં આવી રહી હતી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉપસ્થિત હતા. તેવા સમયે જ એક આખલો ભીડ વચ્ચે ઘૂસી જતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીને માહોલ જોવા મળ્યો હતો. આ ઘટના CCTV કેમેરામાં કેદ ઈ રહી છે. મહત્વનું છે કે આ પહેલા પણ લાખો ભક્તોની ભીડ વચ્ચે આખલો ઘૂસી જવાની ઘટના બની ચૂકી છે. ત્યારે તંત્ર દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચોક્કસ કાર્યવાહી થાય તેવી લોકમાગ ઉઠવા પામી હતી.
Source link
