Right now Information Stay: CM નાયડુની વસ્તી વધારવા માટે ‘રોકડ પ્રોત્સાહન’ ની જાહેરાત- ત્રીજા બાળક માટે 30,000 અને ચોથા બાળક માટે 40,000 રૂપિયા

Right now Information Stay: CM નાયડુની વસ્તી વધારવા માટે ‘રોકડ પ્રોત્સાહન’ ની જાહેરાત- ત્રીજા બાળક માટે 30,000 અને ચોથા બાળક માટે 40,000 રૂપિયા

તાજા સમાચાર LATEST NEWS
Spread the love


Right now Newest information reside replace 16 might 2026 friday: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ શનિવારે રાજ્યમાં ઘટતી વસ્તીને રોકવાના પ્રયાસોના ભાગ રૂપે ત્રીજા બાળકના જન્મ માટે 30,000 રૂપિયા અને ચોથા બાળકના જન્મ માટે 40,000 રૂપિયાની પ્રોત્સાહન રકમની જાહેરાત કરી છે. શ્રીકાકુલમ જિલ્લાના નરસનપેટા ખાતે એક જાહેર સભાને સંબોધતા નાયડુએ જણાવ્યું હતું કે સરકારે આ નિર્ણય લીધો છે અને એક મહિનાની અંદર તેના અંગે વિગતવાર માહિતી પૂરી પાડશે.

‘સ્વર્ણ આંધ્ર-સ્વચ્છ આંધ્ર’ સ્વચ્છતા કાર્યક્રમ સાથે આયોજિત એક કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રી નાયડુએ કહ્યું કે, “મેં એક નવો નિર્ણય લીધો છે. અમે ત્રીજા બાળકના જન્મ પછી તરત જ 30,000 રૂપિયા અને ચોથા બાળકના જન્મ પર 40,000 રૂપિયા પ્રદાન કરીશું. શું આ યોગ્ય નિર્ણય નથી?”

દેશમાં જ્યાં એક તરફ વસ્તી નિયંત્રણને લઈને ચર્ચાઓ થતી રહે છે, ત્યાં બીજી તરફ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ એક તદ્દન વિપરીત અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. દક્ષિણ ભારતના રાજ્યોમાં ઝડપથી ઘટી રહેલા યુવા વસ્તીના રેશિયો અને વધતી જતી વૃદ્ધોની વસ્તીને સંતુલિત કરવા માટે તેમણે પરિવારોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે.

  • Could 16, 2026 20:41 IST

    CM નાયડુની વસ્તી વધારવા માટે ‘રોકડ પ્રોત્સાહન’ ની જાહેરાત- ત્રીજા બાળક માટે 30,000 અને ચોથા બાળક માટે 40,000 રૂપિયા

    આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ શનિવારે રાજ્યમાં ઘટતી વસ્તીને રોકવાના પ્રયાસોના ભાગ રૂપે ત્રીજા બાળકના જન્મ માટે 30,000 રૂપિયા અને ચોથા બાળકના જન્મ માટે 40,000 રૂપિયાની પ્રોત્સાહન રકમની જાહેરાત કરી છે. શ્રીકાકુલમ જિલ્લાના નરસનપેટા ખાતે એક જાહેર સભાને સંબોધતા નાયડુએ જણાવ્યું હતું કે સરકારે આ નિર્ણય લીધો છે અને એક મહિનાની અંદર તેના અંગે વિગતવાર માહિતી પૂરી પાડશે.

  • Could 16, 2026 14:07 IST

    Right now Information Stay:UAE ભારત માટે 30 મિલિયન બેરલ તેલનો સંગ્રહ કરશે

    મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંકટ વચ્ચે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી UAE પહોંચ્યા હતા. બંને દેશોએ વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી, ભારત માટે 30 મિલિયન બેરલ તેલનો સંગ્રહ, LPG સપ્લાય અને ગુજરાતના વડનગરમાં જહાજ સમારકામ ક્લસ્ટરની સ્થાપના સહિત અનેક કરારો પર હસ્તાક્ષર કર્યા. UAE એ ભારતના માળખાગત સુવિધા, RBL બેંક અને સન્માન કેપિટલમાં કુલ $5 અબજ ડોલરના રોકાણનું પણ વચન આપ્યું હતું.

  • Could 16, 2026 13:56 IST

    Right now Information Stay: શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાન બહાર યુવા કોંગ્રેસનો વિરોધ

    NEET UG પેપર લીકના મુખ્ય સૂત્રધાર પીવી કુલકર્ણીની ધરપકડ બાદ, શનિવારે દિલ્હીમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા. NEET પેપર લીકને લઈને NSUI અને યુવા કોંગ્રેસના કાર્યકરોએ વિવિધ સ્થળોએ દેખાવો કર્યા. NSUIના કાર્યકરોએ NTA ઓફિસ બહાર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું, જ્યારે યુવા કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના નિવાસસ્થાન બહાર પ્રદર્શન કર્યું. જોકે, પોલીસે થોડા સમય પછી બંને સ્થળોએ વિરોધીઓની અટકાયત કરી.

  • Could 16, 2026 12:21 IST

    Right now Information Stay: ISISના સેકન્ડ-ઇન-કમાન્ડ કમાન્ડર ઠાર મરાયો

    અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે જાહેરાત કરી હતી કે યુએસ સેનાએ ISISના સેકન્ડ-ઇન-કમાન્ડ, અબુ-બિલાલ અલ-મિનુકીને મારી નાખ્યો છે. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર આ જાહેરાત કરી હતી.

  • Could 16, 2026 09:19 IST

    Right now Information Stay: મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી સામે FIR દાખલ

    તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભડકાઉ અને વાંધાજનક ભાષણો આપવાના આરોપમાં તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

  • Could 16, 2026 06:46 IST

    Right now Information Stay: વિદેશ યાત્રા પર ટેક્સ વાતનું પીએમ મોદીએ કર્યું ખંડન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્તિગત રીતે એક અહેવાલને નકારી કાઢ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકાર વિદેશ યાત્રા પર સેસ અથવા કર લાદવાનું વિચારી રહી છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિદેશ યાત્રા પર સેસ, કર અથવા સરચાર્જ લાદવાના પ્રસ્તાવ પર સરકારમાં ઉચ્ચ સ્તરે ચર્ચા થઈ રહી છે. આ પછી, શુક્રવારે, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જઈને આ અહેવાલને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો.

    મીડિયા આઉટલેટની પોસ્ટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે અહેવાલમાં સત્યનો કોઈ અંશ નથી. પીએમ મોદીએ લખ્યું, “આ એક સ્પષ્ટ જૂઠાણું છે. તેમાં કોઈ સત્ય નથી. વિદેશ યાત્રા પર આવા પ્રતિબંધો લાદવાનો કોઈ પ્રશ્ન જ નથી. 

    અમે અમારા લોકો માટે ‘વ્યવસાય કરવાની સરળતા’ અને ‘જીવન જીવવાની સરળતા’ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.” પ્રધાનમંત્રી દ્વારા મીડિયા રિપોર્ટને વ્યક્તિગત રીતે નકારવાનું ભાગ્યે જ બને છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *