અમરેલીના વિવિધ પંથકમાં સાવજ સહિતના વન્ય જીવોના આંટાફેરા વધ્યા છે. ત્યારે ધારીના હાલરીયા ગામમાં ગત મોડી રાતે 2 સાવજ લટાર મારવા આવી ચડ્યા હતા. મોડી રાતે ગોપાલ ગૌશાળા નજીક 2 સાવજ ચડી આવતા ગૌશાળાની અંદર ગાયોમાં અફરાતફરી મચી જવા પામી હતી. જો કે દરવાજા બંધ હોવાથી સાવજ ગૌશાળામાં પ્રવેશી શક્યા ન હતા અને ચાલ્યા ગયા હતા. જો કે ગૌશાળાની તમામ ગાયોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સાવજની લટાર અને ગૌશાળાની ગાયોમાં મચેલી અફરાતફરીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
Source link
