ખંભાળિયા-જામનગર હાઈવે પર ગોઝારા અકસ્માતની ઘટના બની છે. દાંતા ગામ નજીક ફૂલ સ્પીડે દોડતી અજાણી કારે બાઈકને અડફેટે લેતા બે યુવાનો રોડ પર ફંગોળાયા હતા. જ્યાં તેમનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. મહત્વનું છે કે અકસ્માત સર્જ્યા બાદ નિર્દયી કાર ચાલક યુવકોને ત્યાં રસ્તા પર જ છોડીને ફરાર થઈ ગયો હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે હવે પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે મૃતકના નામ સુરેશ પરમાર અને નિલેશ પરમાર હોવાનું સામે આવ્યું છે.
Source link
