વલસાડમાં લગ્નમાં જઈ રહેલ પિકઅપ વાન પલટી જતાં 6 લોકોના મોત, અનેક ઘાયલ

વલસાડમાં લગ્નમાં જઈ રહેલ પિકઅપ વાન પલટી જતાં 6 લોકોના મોત, અનેક ઘાયલ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


વલસાડમાં એક ભયંકર દુ:ખદ અકસ્માત થયો છે. આ માર્ગ અકસ્માતમાં અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું હતું કે બુધવારે સાંજે, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં એક ભરેલી પિકઅપ વાન પલટી ગઈ હતી. જેમાં ત્રણ બાળકો સહિત છ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

અહેવાલો અનુસાર, વાનમાં આશરે 30 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તે બધા ગિરનારા ગામથી લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. કપરાડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ડી.એન. વાંજાએ જણાવ્યું હતું કે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યા પછી વાન પલટી ગઈ હતી. જેના કારણે ત્રણ બાળકો, બે મહિલાઓ અને એક પુરુષનું મોત થયું હતું. તેમણે ઉમેર્યું હતું કે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ગંભીર ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *