પાકિસ્તાન આર્મીનું એક હેલિકોપ્ટર પીઓકેમાં ક્રેશ થયું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) ના મુઝફ્ફરાબાદ નજીક પાકિસ્તાન આર્મી એવિએશન Mi-17 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં તેમાં સવાર તમામ લશ્કરી કર્મચારીઓના મોત થયા હતા.
પાકિસ્તાન આર્મીના એક નિવેદન અનુસાર, ટેકઓફ દરમિયાન ટેકનિકલ ખામીને કારણે આ દુર્ઘટના થઈ હતી. સેનાએ જણાવ્યું હતું કે, “અકસ્માતમાં કોઈ બચ્યું નથી.” બચાવ અને રાહત ટીમો તાત્કાલિક ક્રેશ સ્થળ પર પહોંચી ગઈ હતી. ક્રેશનું ચોક્કસ ટેકનિકલ કારણ જાણવા માટે ‘બોર્ડ ઓફ ઇન્ક્વાયરી’ ની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
હેલિકોપ્ટર ટેકઓફ દરમિયાન ટેકનિકલ ખામીનો ભોગ બન્યું
પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ એક સંક્ષિપ્ત નિવેદન જારી કરીને પુષ્ટિ કરી છે કે હેલિકોપ્ટર ટેકઓફ દરમિયાન ટેકનિકલ ખામીનો ભોગ બન્યું હતું, જેના કારણે ક્રેશ થયું હતું. ISPR એ જણાવ્યું હતું કે, “આ અકસ્માતમાં કોઈ બચ્યું નથી.” જોકે સેનાએ હજુ સુધી કુલ મૃત્યુઆંક જાહેર કર્યો નથી.
વડોદરામાં શાતિર મહિલાની અનોખી ચોરી, સોના-હીરાના દાગીના મોઢામાં છુપાવ્યા, CCTV વીડિયો વાયરલ
પાકિસ્તાનના સંરક્ષણ દળોના વડા અને આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સહિત સેનાના અધિકારીઓ અને કર્મચારીઓએ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ISPR મુજબ સેનાએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ખાતરી આપી છે કે આ દુ:ખદ સમયમાં તેઓ તેમની સાથે ઉભા છે.
પાકિસ્તાનમાં હેલિકોપ્ટર ક્રેશ
ઉલ્લેખનીય છે કે તાજેતરના વર્ષોમાં પાકિસ્તાનમાં લશ્કરી અને સરકારી હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘણી ઘટનાઓ બની છે. સપ્ટેમ્બર 2025 માં ગિલગિટ-બાલ્ટિસ્તાનના ડાયમર જિલ્લામાં ટેકનિકલ ખામીને કારણે પાકિસ્તાન આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં પાંચ લશ્કરી કર્મચારીઓના મોત થયા હતા. દરમિયાન ઓગસ્ટ 2025 માં ખરાબ હવામાનને કારણે મોહમંડ જિલ્લામાં ખૈબર પખ્તુનખ્વા સરકારી હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. તે અકસ્માતમાં બે પાઇલટ અને ત્રણ ક્રૂ સભ્યો સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
